Ketan Agarwal Murder Case: 'સિયાને પણ કિલ્લા પરથી ધક્કો આપી દો', આરોપી દીકરીના પિતાનું રૂંવાડા ઉભું કરતું નિવેદન!
પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લોહગઢ કિલ્લા પરથી કેતનને નીચે ફેંકી દેવાના કેસમાં હવે આરોપી સિયા ગોયલના માતા-પિતાએ મૌન તોડ્યું છે. દીકરીના ગુનાથી વ્યથિત પિતાએ એવા શબ્દો કહ્યા છે, જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. તેમણે પોતાની જ દીકરીને સખત સજા આપવાની માંગ કરી છે. આ ઘટનાએ માત્ર એક પરિવારને નહીં, પરંતુ સમાજને પણ હચમચાવી નાખ્યો છે.
Advertisement
Ketan Agarwal Murder Case: પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. આ ઘટનામાં મુખ્ય આરોપી સિયા ગોયલના માતા-પિતાએ પહેલીવાર મીડિયા સામે આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સિયાના પિતા પ્રવીણ ગોયલે દીકરીના કૃત્ય પર દુઃખ વ્યક્ત કરતા કાયદાકીય સજાની માંગ કરી છે. કેતન અને સિયાના પરિવાર વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત હતા, પરંતુ આ ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે. પોલીસે હાલ આ મામલે તપાસ તેજ કરી છે.

