Maharashtra Earthquake : આજે એટલે ગુરુવારે વહેલી સવારો મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લાના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે જમીન ધ્રૂજવા લાગતા અનેક પરિવારો જીવ બચાવવા માટે પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અનુસાર ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ તેની અસરસ્પષ્ટપણે અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા હાલ ભૂકંપની તીવ્રતા, તેનું ચોક્કસ કેન્દ્રબિંદુ અને ઊંડાઈનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કુદરતી આપત્તિમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. કેટલીક જગ્યાએ મકાનોની દીવાલોમાં સામાન્ય તિરાડો પડ્યાની માહિતી મળી છે, પરંતુ કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી.
Maharashtra Earthquake : મરાઠવાડાના નાંદેડ-હિંગોલીમાં લોકોમાં ગભરાટ
ભૂકંપના આંચકાની જાણ થતા જ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગભરાટ ન ફેલાવે અને સોશિયલ મીડિયા પર વાયરલ થતી કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરે. ભૂકંપ જેવી પરિસ્થિતિમાં અફવાઓથી વધુ નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે, તેથી વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા તાકીદ કરવામાં આવી છે.
સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું
હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને નિષ્ણાતોની ટીમ સતત સિસ્મિક એક્ટિવિટી પર નજર રાખી રહી છે. આ પ્રકારના આંચકાઓ મરાઠવાડાના આ ક્ષેત્રમાં ભૌગોલિક રીતે દુર્લભ નથી, પરંતુ વહેલી સવારે બનેલી આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આપત્તિઓ સામેની પૂર્વતૈયારીઓ વિશે વિચારવા મજબૂર કર્યા છે. સ્થાનિક લોકોમાં હજુ પણ થોડો ફફડાટ જોવા મળી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Pune Building Collapse News : મહારાષ્ટ્રના પુણેમાં મોટો અકસ્માત, કચરાનો પહાડ તૂટી પડતાં ૩ માળની ઇમારત ધરાશાયી