Railway News : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ત્યારે મુંબઈમાં લોકલ ટ્રેનોના વ્યવહારમાં તો અસર પડી જ છે પરંતુ મુંબઈથી અમદાવાદ અને ગુજરાત આવતી ટ્રેનનો પણ પ્રભાવિત થઈ છે.
મુંબઈના વસઈ રોડ, નાલાસોપારા તથા વિરાર સેક્શનમાં પાણી ભરાવાના કારણે રેલ ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા તારીખ 07.07.2026 ના રોજ અનેક મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના માર્ગમાં ફેરફાર (Diversion) કરવામાં આવ્યો છે.
રદ કરાયેલ ટ્રેનો (તારીખ 07.07.2026)
સુરક્ષાના કારણોસર નીચે મુજબની ટ્રેનો રદ કરવામાં આવી છે:
19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
12941 ભાવનગર ટર્મિનસ – આસનસોલ એક્સપ્રેસ
તદુપરાંત, ટ્રેન 12942 આસનસોલ – ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 09.07.2026 ના રોજ રદ રહેશે.
માર્ગ પરિવર્તિત (Diverted) ટ્રેનો:
કેટલીક ટ્રેનો સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ કોર્ડ લાઇન - પુણે થઈને દોડાવવામાં આવશે. જ્યારે 20495 જોધપુર – હડપસર એક્સપ્રેસ ટ્રેન 06.07.2026ના રોજ ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત 22497 શ્રીગંગાનગર – તિરુચિરાપલ્લી એક્સપ્રેસ ટ્રેન 06.07.2026 ના રોજ ડાઈવર્ટ કરવામાં આવી હતી.
રેલવે તંત્ર દ્વારા આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવે હેલ્પલાઇન નંબર 139, સ્ટેશન પૂછપરછ અથવા સત્તાવાર રેલવે માધ્યમો પર ટ્રેનની લેટેસ્ટ રનિંગ સ્થિતિ (Running Status) અવશ્ય તપાસી લેવી. ભારે વરસાદને લીધે રેલવે ટ્રાફિકને અસર થતા મુસાફરોએ સહકાર આપવો જરૂરી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં પાણી ઓસર્યા બાદ જ પરિસ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. વધુ માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત નજર રાખવી હિતાવહ છે.
આ પણ વાંચો : Surat Rain : આગામી 48 કલાક ભારે ! સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર