Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahisagar જિલ્લામાં કુદરતનો પ્રકોપ, આકાશી વીજળી પડતાં 4 પશુના મોત, પશુપાલક પરિવારો સંકટમાં

મહીસાગર જિલ્લામાં આકાશી વીજળી પડતાં ભારે તારાજી સર્જાઈ છે. વિરપુરના કોયડમ નાનસલાઇ ગામે બે ગાયો, કોઠંબાના થાણા સાવલીમાં એક ભેંસ અને લુણાવાડાના રાજગઢ ગામે એક ભેંસનું મોત નીપજ્યું છે. આ કુદરતી આફતથી પશુપાલન વ્યવસાયના ખેડૂત પરિવારો મોટા આર્થિક સંકટમાં મુકાયા છે.
mahisagar જિલ્લામાં કુદરતનો પ્રકોપ  આકાશી વીજળી પડતાં 4 પશુના મોત  પશુપાલક પરિવારો સંકટમાં
Advertisement

રાજ્યમાં ચોમાસાની ઋતુ (Monsoon season) સક્રિય થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક આફતના સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં તાજેતરમાં મેઘરાજાની એન્ટ્રી સાથે જ આકાશી વીજળી પડવાના ગંભીર બનાવો સામે આવ્યા છે. આ કુદરતી આપત્તિના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વસતા ખેડૂત પરિવારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં વીજળી પડવાને કારણે મૂગા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેનાથી સ્થાનિક પશુપાલકોમાં ભારે શોક અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. પશુઓ એ ગ્રામીણ અર્થતંત્રનો (Rural economy) મુખ્ય આધાર હોવાથી આ ઘટના પશુપાલકો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ છે.

Tags :
Advertisement

.

×