કોઈપણ કારણ વગર માર માર્યાનો આક્ષેપ
પ્રોફેસર હર્ષ દવે (Professor Harsh Dave) ના જણાવ્યા અનુસાર તેમને પોલીસ સ્ટેશન ખાતે કોઈ બાબતે મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. પ્રોફેસર જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પી.આઈ. વિમલ ધોરડા દ્વારા તેમની સાથે અમાનવીય વર્તન કરીને માર મારવામાં આવ્યો હતો. પ્રોફેસરે કહ્યું કે મારા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કોઈ અરજી નહોતી. આમ કોઈપણ કારણ વગર તેમને પોલીસ સ્ટેશનની અંદર જ માર મારવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે.
શું જૂની અદાવતમાં કરાયો હુમલો?
હુમલા પાછળનું મુખ્ય કારણ જણાવતા પ્રોફેસર હર્ષ દવેએ ઉમેર્યું કે, તેમણે અગાઉ લુણાવાડાના પી.આઈ. વિમલ ધોરડા વિરુદ્ધ જિલ્લા પોલીસ વડા એટલે કે એસ.પી. (SP) ને એક લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે પી.આઈ. સ્થાનિક અસામાજિક તત્વો સાથે હરે-ફરે છે અને તેમની સાથે સંબંધો ધરાવે છે. આ એસ.પી.ને કરાયેલી ફરિયાદની અદાવત અને ખાર રાખીને જ તેમને સોનિયોજિત રીતે પોલીસ સ્ટેશન બોલાવીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
CCTV ફૂટેજ તપાસની માગ
આ સમગ્ર મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે પ્રોફેસરે એક મહત્વની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે જો પોલીસ સ્ટેશનના સીસીટીવી (CCTV Cameras) ના ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો આખી સત્ય હકીકત આપોઆપ બહાર આવી જશે. પ્રોફેસર હર્ષ દવેએ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય ન્યાય મળે તેવી ઉમ્મીદ વ્યક્ત કરી છે.
જિલ્લા પોલીસ વડા સફિન હસનનું નિવેદન
જિલ્લા પોલીસ વડા સફિન હસને સમગ્ર મામલે કહ્યું પ્રોફેસર અને પીઆઈ વચ્ચે મારામારીના આક્ષેપ કરતી અરજી લુનાવાડા પોલીસ સ્ટેશનમાં મળી છે. તેમણે વધુમાં કહ્યું આ મામલે ડીવાયએસપીને તપાસ સોંપી છે અને સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ Mahisagar News: તાંત્રોલી બ્રિજ પર ફરી જોખમ, ગાબડું પડતા તંત્રની કામગીરી પર સવાલો
આ પણ વાંચોઃ Barrage Cum Bridge: આણંદ, વડોદરા અને ભરૂચને જોડનાર 1700 કરોડના ઐતિહાસિક પ્રોજેક્ટને મળી લીલી ઝંડી, જાણો વધુ