Mehsana: અક્ષય તૃતીયાએ અદાણી દંપતી પહોંચ્યું તારંગા, ભગવાન અજિતનાથના આશિર્વાદ લીધા
- Mehsana: ગૌતમ અદાણી અને પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ તારંગા હિલ્સમાં કરી પૂજા
- અક્ષય તૃતીયાના શુભ અવસરે ભગવાન અજિતનાથના લીધા આશીર્વાદ
- ખેરાલુના દાભોડા હેલીપેડ પર વહેલી સવારે અદાણી દંપતીનું આગમન
- જૈન સમુદાયના અગ્રણીઓ દ્વારા મહેસાણામાં ભવ્ય સ્વાગત કરાયું
- મંદિરના ટ્રસ્ટીઓ સાથે યાત્રિકોની સુવિધા વધારવા અંગે કરી ચર્ચા
- ઐતિહાસિક દેરાસરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી પરિસરની મુલાકાત લીધી
Mehsana: અદાણી સમૂહ (Adani Group) ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ધર્મપત્ની ડૉ. પ્રીતિ અદાણીએ રવિવારે અક્ષય તૃતીયા (Akshaya Tritiya) ના અત્યંત શુભ અવસર પર ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તારંગા હિલ્સ (Taranga Hills) ની મુલાકાત લીધી હતી. આ પવિત્ર દિવસે અદાણી દંપતીએ પહાડીઓ પર બિરાજમાન ભગવાન અજિતનાથ શ્વેતાંબર જૈન દેરાસરમાં વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મહેસાણાના પ્રસિદ્ધ તારંગા જૈન તીર્થની મુલાકાતે ગૌતમ અદાણી
જૈન અગ્રણીઓએ ગૌતમ અદાણીનું ભવ્ય સ્વાગત કર્યું
તારંગા જૈન મંદિરે દર્શને ગૌતમ અદાણી
દર્શન કર્યા બાદ અદાણી વનીકરણની મુલાકાત લેશે
સ્પેશિયલ એસ્કોર્ટ ગ્રુપ દ્વારા અપાઈ ચુસ્ત સુરક્ષા@gautam_adani #Mehsana #GautamAdani… pic.twitter.com/3Bkk7D8TDG— Gujarat First (@GujaratFirst) April 19, 2026
Mehsana: તારંગા દેરાસરમાં પૂજા અર્ચના કરી
રવિવારે વહેલી સવારે આશરે 7:45 વાગ્યે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા દાભોડા હેલીપેડ પર ગૌતમ અદાણીનું હેલિકોપ્ટર ઉતરાણ થયું હતું. અહીં જૈન સમુદાય (Jain Community) ના અગ્રણીઓ અને સભ્યો દ્વારા અદાણી દંપતીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સીધા જ ઐતિહાસિક તારંગા પહાડીઓ પર આવેલા દેરાસર જવા રવાના થયા હતા. અક્ષય તૃતીયાનું મહત્વ હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા.
Gautam Adani and Wife Offer Prayers at Taranga Jain Temple on Akshay Tritiya;
ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી તારંગા હિલ્સની મુલાકાતે
અદાણી દંપતિએ તારંગા જૈન મંદિરમાં કરી પ્રાર્થના
અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે અજિતનાથ ભગવાનના કર્યા દર્શન
જૈન દેરાસરમાં ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન… pic.twitter.com/2hvnrwokA9— Gujarat First (@GujaratFirst) April 19, 2026
ભોજનશાળાની પણ મુલાકાત લીધી હતી
જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને સમર્પિત આ મંદિર સ્થાપત્ય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું મનાય છે. ગૌતમ અદાણીએ ગર્ભગૃહમાં પ્રાર્થના કર્યા બાદ મંદિર પરિસરમાં સમય વિતાવ્યો હતો અને યાત્રાળુઓ માટેની ભોજનશાળા (કેન્ટીન) ની પણ ટૂંકી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરના ટ્રસ્ટી સચિન અશોકભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન યાત્રાધામની સ્થાપત્ય શૈલી અને આધ્યાત્મિક ગરિમા જાળવી રાખીને યાત્રિકો માટે સુવિધાઓમાં કેવી રીતે વધારો કરી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
Mehsana: યાત્રાળુઓ માટેની સુવિધાઓની ચકાસણી કરી
અદાણી ગ્રુપ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ પર્યાવરણીય ક્ષેત્રે પણ આ વિસ્તારમાં યોગદાન આપી રહ્યું છે. તારંગા ટેકરીઓની આસપાસના વનીકરણ અને પર્યાવરણીય પુનઃસ્થાપન માટે જૂથ દ્વારા વિશેષ સમર્થન આપવામાં આવી રહ્યું છે. ગૌતમ અદાણીએ યાત્રાળુઓ માટેની કેન્ટીન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતથી આગામી સમયમાં તારંગા હિલ્સના વિકાસ અને પર્યાવરણ જાળવણીને નવો વેગ મળે તેવી શક્યતા છે..
આ પણ વાંચો: Dhandhuka: MLA કાળુભાઈ ડાભી, સાધુ-સંતોએ પીડિત પરિવારની મુલાકાત આપી ન્યાયની ખાતરી


