Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

kadi માં ઈદની ખુશી શોકમાં ફેરવાઈ! ઈદની નમાજ પઢી પરત ફરતા નિવૃત શિક્ષકનું ગાયની અડફેટે મોત

Animal Attack: કડીના (Kadi) કેશવનગર ગેટ પાસે ઈદની (Eid) નમાજ પઢી પરત ફરી રહેલા નિવૃત શિક્ષક રજ્જાકભાઈનું (Razzakbhai) રખડતી ગાયની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું છે. ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારે જવાબદાર ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ન્યાયની અપીલ કરી છે.
kadi માં ઈદની ખુશી શોકમાં ફેરવાઈ  ઈદની નમાજ પઢી પરત ફરતા નિવૃત શિક્ષકનું ગાયની અડફેટે મોત
Advertisement
  • Kadi માં રખડતા ઢોરની અડફેટે આધેડનું કમકમાટીભર્યું મોત
  • ઈદની નમાજ પઢી પરત ફરતા સમયે બની ઘટના
  • કેશવનગર ગેટ પાસે ગાયે ભેંટા મારતા ગંભીર ઈજા
  • નિવૃત શિક્ષક રજ્જાકભાઈનું સારવાર દરમિયાન મોત
  • ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા પરિવારની માંગ

Kadi Stray Cattle Menace: મહેસાણા જિલ્લાના કડી (Kadi) શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે હવે નિર્દોષ નાગરિકોનો જીવ લઈ રહ્યો છે. શહેરના કેશવનગર ગેટ (Keshavnagar Gate) પાસે બનેલી એક કમકમાટીભરી ઘટનામાં રખડતી ગાયની અડફેટે આવતા એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

ગાયે હવામાં ફંગોળ્યા

મળતી વિગતો અનુસાર, કડીમાં રહેતા અને નિવૃત શિક્ષક તરીકે સેવા આપી ચૂકેલા રજ્જાકભાઈ (Razzakbhai) પવિત્ર ઈદ (Eid) નિમિત્તે નમાજ પઢીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે કેશવનગર ગેટ (Keshavnagar Gate) પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તે રખડતી એક ગાયે તેમને જોરદાર ભેંટા માર્યા હતા. ગાય એટલી હિંસક બની હતી કે રજ્જાકભાઈને હવામાં ફંગોળ્યા બાદ ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી.

Advertisement

Advertisement

સારવાર દરમિયાન નિવૃત શિક્ષકનું મોત

ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં રજ્જાકભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ (Hospital) ખસેડ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. એક નિવૃત શિક્ષક (Retired Teacher) અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિના આવા આકસ્મિક નિધનથી મુસ્લિમ સમાજ સહિત સમગ્ર કડી શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા (Municipality) અને સ્થાનિક પ્રશાસનની નિષ્ફળતાને કારણે રખડતા ઢોરનો ત્રાસ કાબૂમાં આવતો નથી. ઈદ જેવા તહેવારના દિવસે જ પરિવારના મોભી ગુમાવતા રજ્જાકભાઈના પરિવારે ન્યાયની માંગ કરી છે. પરિવારે માંગ કરી છે કે જે ઢોર માલિકો પોતાના પશુઓને રસ્તા પર છુટા મૂકે છે તેમની સામે પોલીસ (Police) દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે અગાઉ પણ અનેકવાર રખડતા પશુઓને કારણે અકસ્માતો સર્જાયા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર કાગળ પરની કાર્યવાહી કરવામાં આવે છે. હવે જ્યારે એક શિક્ષકે જીવ ગુમાવ્યો છે, ત્યારે લોકોમાં ભારે રોષ છે. શું તંત્ર હજુ પણ વધુ મોતની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ જનતા પૂછી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન! દરરોજ 184 લોકોને કરડે છે કુતરા, 13 કરોડ ખર્ચ્યા છતાં AMC ના 'ડોગ મિશન' માં ક્યાં પડી ખોટ?

Tags :
Advertisement

.

×