Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો', Singer Kajal Maheriya ની માતાનો ધડાકો!

મહેસાણાની ગાયિકા કાજલ મહેરિયાના લગ્ન વિવાદમાં તેની માતા શારદાબેને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે શેરથા ગામે ગયેલા પરિવારને કાઢી મૂકાયા હતા. માતાના મતે યુવકનો પરિવાર માત્ર પૈસા માટે આ કાવતરું કરી રહ્યો છે. તેમણે સમાજને આ બાબતે ન્યાય અપાવવા અને સત્ય બહાર લાવવા વિનંતી કરી છે.
 છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો   singer kajal maheriya ની માતાનો ધડાકો
Advertisement
  • Kajal Maheriya Marriage Controversy: માતા શારદાબેનનું નિવેદન
  • "દીકરીને પરત લેવા જતા શેરથા ગામે અપમાનિત કરાયા"
  • "સામેવાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો"

Singer Kajal Maheriya Marriage Controversy: મહેસાણાની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya )ના લગ્નને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. તાજેતરમાં કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ એક ચોંકાવનારું નિવેદન (Shocking Statement) આપીને આ વિવાદમાં નવો વળાંક લાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ લગ્ન પાછળ મોટું કાવતરું (Conspiracy) ઘડવામાં આવ્યું છે.

Kajal Maheriya ના  પરિવાર સાથે ગેરવર્તણૂક!

શારદાબેને જણાવ્યું હતું કે, જ્યારે પરિવાર અને સમાજના અગ્રણીઓ દીકરીને પરત લેવા માટે ગાંધીનગરના શેરથા (Shertha) ગામે ગયા હતા, ત્યારે ત્યાં પરિસ્થિતિ તંગ બની હતી. માતાના જણાવ્યા મુજબ, શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને સન્માન આપવાને બદલે ઉશ્કેરની કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે પરિવારમાં ભારે રોષ (Resentment) જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

યુવકની આર્થિક સ્થિતિ અને માતાનો દાવો

માતાએ યુવક અંગે વાત કરતા કહ્યું કે, જે છોકરા સાથે કાજલના લગ્નની વાતો થઈ રહી છે, તે છોકરો અગાઉ તેમના ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો. શારદાબેને દાવો કર્યો હતો કે તેમની દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરી શકે.

પૈસા પડાવવાની ગેમ અને ન્યાયની અપીલ

શારદાબેને આક્ષેપ કર્યો છે કે સામેવાળો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે આ પ્રકારની રમત રમી રહ્યો છે. આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું તેમણે જણાવ્યું છે. અંતમાં તેમણે દલિત સમાજ (Dalit Community) અને અઢારે આલમને આ મામલે મધ્યસ્થી કરી ન્યાય (Justice) અપાવવા અને યોગ્ય રસ્તો કાઢવા માટે અપીલ કરી છે. આ વિવાદ હવે સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ 'બેવફા સોન્ગની ક્વીન' Kajal Mehriya નો લગ્ન વિવાદ સામે આવ્યો! પરિવારની જાણ બહાર લગ્ન કર્યા?

Tags :
Advertisement

.

×