Mehsana News: ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો આજે મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.
મહેસાણાના વડનગર પહોંચ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી શ્રેણીનો શુભારંભ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ બી.એન. હાઈસ્કૂલ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનો અભ્યાસ કર્યો હતો.
ત્રણ દિવસમાં 28.58 લાખ બાળકોનું થશે નામાંકન
આ રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 23 જૂનથી 25 જૂન, 2026 દરમિયાન રાજ્યભરમાં ઉજવવામાં આવ્યો છે. આ મહોત્સવ દરમિયાન રાજ્યની અંદાજે 38,400 શાળાઓમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 28.58 લાખ જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું છે, જેમાં બાલવાટિકા, ધોરણ-1 તેમજ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી શરૂ થયેલા આ કાર્યક્રમે શિક્ષણ ક્ષેત્રે નવો ઉત્સાહ ઉમેર્યો છે.
મોદી સાહેબ જે સ્કુલમાથી ભણ્યા ત્યાથી શાળા પ્રવેશ ઉત્સવમાં મને મોકો મળ્યો: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, 24 શાળા પ્રવેશઉત્સવ શરૂ કરવાનો મને મોકો મળ્યો છે, જે સ્કૂલમાં આદરણીય મોદી સાહેબ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આજે આ સ્કૂલમાં થી શાળા પ્રવેશ ઉત્સવમાં મને મોકો મળ્યો છે.
નરેન્દ્રભાઈ એ દરેક પરિસ્થિતિ અનુભવી ચુક્યા છે : CM
દેશના યશશ્વિ વડાપ્રધાન વડનગરના પનોતા પુત્ર છે. પોતાની ધગશ હોય તો સામાન્ય નાગરિક થી વડાપ્રધાન સુધી સફળતા મેળવી શકાય છે. નરેન્દ્રભાઈ મોદીએ શાળામાં ટિફિન ના દરેક ડબ્બામાંથી દરેક વિધાર્થીને આપવાનું શરૂ કર્યું હતું. નરેન્દ્રભાઈ એ દરેક પરિસ્થિતિ અનુભવી ચુક્યા છે. એટલેજ એમને ખ્યાલ છે ક્યાં શુ જરૂર છે. કન્યા કેળવણીથી ડ્રોપ આઉટ રેશિયો શાળા પ્રવેશઉત્સવ થી શક્ય બન્યું છે. નરેન્દ્રભાઈ એ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. શાળા છોડી દેનાર દરેક વિધાર્થીઓને આજે અહીં લાવી ખૂબ સુંદર પ્રયાસ આજે કર્યો છે
નરેન્દ્રભાઈએ અનેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તે માટે પ્રયાસ કર્યા : CM
વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત ધંધા રોજગારમાં આજે મોખરે છે. ગુજરાતના દરેક નાગરિકને ડેવલોપ મેન્ટનો લાભ મળે તે માટે પ્રયાસ કર્યો છે. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનો ખૂબ લાભ અત્યારે મળી રહ્યો છે. મોદી સાહેબ કહેતા કે દીકરી ભણે તો બે કુળ તારે . નરેન્દ્રભાઈએ ઉચ્ચ શિક્ષણ માટે વિકસિત ભારતની દિશા તરફ પ્રયાસ શરૂ કર્યા છે. અત્યારે અનેક ક્ષેત્રમાં પ્રગતિ થાય તે દિશામાં વડાપ્રધાને પ્રયાસ કર્યા છે.
મુખ્યમંત્રીની વાલીઓને ટકોર
વધુમા મુખ્યમંત્રીએ વાલીઓને કહ્યું કે, વિધાર્થીઓ એ મોબાઈલ અને ટીવી વધુ જોવાની ટેવ ટાળવી પડશે. ટીવી અને મોબાઈલ જોવા માટે દરેક વિધાર્થીઓ એ સમય નક્કી કરવો પડશે.
આ પણ વાંચો: CM Bhupendrabhai patel એ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં છોટાઉદેપુર અને મહેસાણાના અધિકારીઓનો ઉધડો લીધો, આપ્યા કડક આદેશ