Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: ઊંઝામાં GETCOની નવી વીજલાઈન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, નિરાકરણ નહીં થાય તો..!

મહેસાણાના ઊંઝામાં GETCOની નવી વીજલાઈનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. રહેણાંક વિસ્તાર અને ખેતરોમાંથી પસાર થતી આ લાઈન માટે યોગ્ય સર્વે ન થયો હોવાનો આરોપ લગાવી, 'ઊંઝા ખેડૂત હિત રક્ષક સમિતિ'એ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ લાઈનનો રૂટ બદલવાની અથવા અંડરગ્રાઉન્ડ કરવાની માગ સાથે ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.
mehsana  ઊંઝામાં getcoની નવી વીજલાઈન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ  નિરાકરણ નહીં થાય તો
Advertisement
  • Mehsana Farmer Protest: ઉંઝામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
  • GETCOની નવી વીજલાઈન સામે ખેડૂતોનો વિરોધ
  • વીજલાઈનનો રૂટ બદલવા માટે મામલતદારને આવેદનપત્ર
  • ભૌગોલિક સ્થિતિનો સર્વે કર્યા વિના નિર્ણય લેવાયોનો આરોપ

Mehsana Farmer Protest: મહેસાણા જિલ્લાના ઊંઝા (Unjha) પંથકમાં ખેડૂતો અને તંત્ર વચ્ચે વીજલાઈન મુદ્દે ગજગ્રાહ તેજ બન્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા નાખવામાં આવી રહેલી નવી વીજલાઈનના રૂટ સામે સ્થાનિક ખેડૂતોએ લાલ આંખ કરી છે. ઊંઝા ખેડૂત હિત રક્ષક સમિતિ (Unjha Khedut Hit Rakshak Samiti) દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને મામલતદાર (Mamlatdar) કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Mehsana Farmer Protest: સર્વે કર્યા વિના નિર્ણય લેવાયોનો આરોપ

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા આ વીજલાઈન નાખતા પહેલા કોઈ યોગ્ય ભૌગોલિક સર્વે (Geographical Survey) કરવામાં આવ્યો નથી. અધિકારીઓએ ઓફિસમાં બેસીને જ નકશાઓ તૈયાર કરી લીધા છે, જેના કારણે જમીની હકીકત અને ખેડૂતોની મુશ્કેલીઓનો અંદાજ લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ખેડૂતોના મતે, આ વીજલાઈન ફળદ્રુપ ખેતીની જમીન અને રહેણાંક વિસ્તાર (Residential Area) માંથી પસાર થઈ રહી છે, જે ભવિષ્યમાં જાનમાલ માટે જોખમી સાબિત થઈ શકે છે.

Advertisement

Mehsana Farmer Protest: વીજલાઈનનો રૂટ બદલવા માંગ

આવેદનપત્રમાં ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે વીજલાઈનનો વર્તમાન રૂટ તાત્કાલિક બદલવામાં આવે. આ લાઈનને શહેરના રીંગ રોડ (Ring Road) પર ખસેડવામાં આવે અથવા તો તેને અંડરગ્રાઉન્ડ (Underground) કરવામાં આવે જેથી રહેણાંક મકાનો અને ખેતીના પાકને નુકસાન ન થાય. ખેડૂતોનું કહેવું છે કે જો હાઈ ટેન્શન લાઈન ખેતરોની વચ્ચેથી પસાર થશે તો જમીનના ભાવ ઘટશે અને ખેતીકામમાં પણ જોખમ વધશે.

Advertisement

'ગાંધી ચીંધ્યા માર્ગે' આંદોલનની રણનીતિ

ઊંઝા ખેડૂત હિત રક્ષક સમિતિ (Unjha Khedut Hit Rakshak Samiti) એ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે (Gandhian Way) અહિંસક આંદોલન કરશે. જરૂર પડશે તો મામલતદાર કચેરી સામે જ પ્રતીક ઉપવાસ (Hunger Strike) પર ઉતરવાની તૈયારી પણ ખેડૂતોએ દર્શાવી છે. હાલમાં આ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Mehsana School Bus Accident : મહેસાણામાં કાળમુખા ડમ્પરે સ્કૂલ બસને ફંગોળી, 4 ભૂલકાંઓ લોહીલુહાણ!

આ પણ વાંચોઃ Mehsana: માત્ર 5 જ મિનિટમાં સિસ્ટમ હેક કરી કારની ચોરી! મારુતિ સુઝુકીના પૂર્વ કર્મચારી સહિત 2 શખ્સો પકડાયા

Tags :
Advertisement

.

×