Jetpur Farmer Protest: નિલેશ એરવાડિયાએ ઉપવાસ છાવણી છોડવાની કરી જાહેરાત, આંદોલન હવે કઈ દિશામાં?
મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ નિલેશ એરવાડિયાને 17 દિવસના ઉપવાસ બાદ છાવણીમાંથી દૂર કરાયા છે. હકાભા સાથેની ઓડિયો ક્લિપ બાદ આંદોલન સમિતિએ ખેડૂતોનો વિશ્વાસ જાળવી રાખવા આ કડક નિર્ણય લીધો છે. નિલેશે છાવણી છોડ્યા બાદ પણ પોતાનું આંદોલન અને ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
Advertisement
Jetpur Farmer Protest: મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અત્યારે ભારે ઉહાપોહ મચી ગયો છે. છેલ્લા 17 દિવસથી ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ અચાનક ઉપવાસ છાવણી (Hunger Strike Camp) છોડવાની જાહેરાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ ઘટના પાછળ હકાભા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને એક ઓડિયો વાયરલ (Viral Audio) હોવાનું મનાઈ રહ્યું છે.

