Ahmedabad: શકુંતલા વસાવાને મળ્યા જામીન, માતા અને બાળક માટે સરકારે હાઈકોર્ટના ખખડાવ્યા હતા દ્વાર
ગુજરાત સરકારે નર્મદા જિલ્લાના હુમલા કેસમાં 7 વર્ષની સજા ભોગવતા સકુંતલા વસાવા અને તેમના 18 દિવસના બાળકને મુક્ત કરવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. સરકારે આરોપીને જામીન મળે તે માટે માનવતાવાદી અભિગમ દર્શાવ્યો હતો. હાઈકોર્ટે સરકારની આ અપીલને ગ્રાહ્ય રાખી જામીન આપતા, માતા અને બાળકને જેલમુક્તિ મળી છે. આ ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણયની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે
Advertisement
Ahmedabad: ગુજરાત સરકાર દ્વારા ન્યાયતંત્ર અને માનવતાના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અતિસંવેદનશીલ અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લાના ચૈતર વસાવા કેસમાં સજા ભોગવી રહેલા સહ-આરોપી સકુંતલા વસાવા અને તેમના 18 દિવસના નવજાત બાળકને મુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી. રાજ્યના કાયદાકીય ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના છે, જ્યાં સરકારે પોતે જ આરોપીની મુક્તિ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હોય. ત્યારે હાઈકોર્ટે પણ માનવતા દાખવી શંકુતલા વસાવાના જામીન મંજૂર કર્યા છે. બાળક પણ જેલમાંથી બહાર આવશે.

