Narmada: સાંસદ મનસુખ વસાવાને થયો કડવો અનુભવ, પોલીસ-વન વિભાગે રસ્તો રોકી આગળ ન જવા દીધાનો દાવો
સત્તા અને સંગઠનની વચ્ચે જ્યારે પોતાના જ જનપ્રતિનિધિઓ તંત્ર સામે ભીડવા લાગે, ત્યારે રાજકીય ગલીઓમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે. આદિવાસી પંથકમાં જંગલ જમીનના એક સળગતા પ્રશ્ને એવો તો મોટો વંટોળ ઊભો કર્યો છે કે જ્યાં એક સાંસદને જ રસ્તા પર રોકી દેવામાં આવ્યા. ખાખી વર્દી અને જનપ્રતિનિધિ વચ્ચે થયેલી આ ઉગ્ર ટક્કરે રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
Advertisement
Mansukh Vasava Stopped By Police Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં જંગલ જમીનના માલિકી હક અને ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપના જ અગ્રણી અને દિગ્ગજ આદિવાસી સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) જ્યારે ખોપી ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ કાફલો રોકીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. ગાંધીનગરથી સ્પષ્ટ સૂચના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં 'ચકલું પણ ન ફરકવું જોઈએ', જેના કારણે પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

