Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોતની પુષ્ટિ
- Andhra Pradesh: કાકીનાડા ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ
- ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 20થી વધુ લોકોના થયા મોત
- 6લોકો ગંભીર રીતે ઘાયલ થયા, મુખ્યમંત્રીએ તાત્કાલિક મદદનો આદેશ આપ્યો
Andhra Pradesh: આંધ્રપ્રદેશ રાજ્યમાં ફટાકડા બનાવતી ફેક્ટરી (Fireworks factory) દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુખદ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 21 લોકોના મોત (21 people died) થયાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટના કાકીનાડા જિલ્લાના સમલકોટ મંડલ (Samalkot mandal of Kakinada district) ના વેટલાપાલેમમાં થઈ છે. જેમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ લોકો હાજર હતા.
Andhra Pradesh: કામદારો ફેક્ટરીમાં બનાવી રહ્યા હતા ફટાકડાં
કામદારો મોટી માત્રામાં ફટાકડા બનાવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ (Massive explosion) થયો, અને ભીષણ આગ (Fierce fire) ફાટી નીકળી. ઘણા લોકો અંદર ફસાયા હતા. તે સમયે સ્થળ પર કામ કરતા કામદારો હાજર હતા.
આ પણ વાંચો----DRDO એ VSHORADS મિસાઇલના સતત 3 સફળ પરીક્ષણ કર્યા, દુશ્મન વિમાનોનો થશે સફાયો
Andhra Pradesh: વિસ્ફોટ પછી લાગેલી આગમાં ઘણા લોકો દાઝી ગયા
વિસ્ફોટની માહિતી મળતાં, ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓ પણ રાહત કામગીરીમાં લાગી ગયા હતા. દુર્ઘટનામાં ગંભીરરીતે દાઝી ગયેલા કામદારોને તાત્કાલિક એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ગંભીર રીતે દાઝી ગયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. વિસ્ફોટથી મૃતદેહોના ટુકડા (Pieces of dead bodies) થઈ ગયા અને નજીકની ઇમારતોને (To buildings) નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
Andhra Pradesh: મુખ્યમંત્રીએ તપાસના આપ્યા આદેશ
ઘટનાની જાણ થતાની સાથે જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ (Chief Minister N. Chandrababu Naidu) એ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની માહિતી મેળવી. તેમને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તમામ પ્રકારની સહાય (Help) પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. સાથે જ તેમણે ઘટનામાં તપાસના આદેશ પણ આપ્યા છે.
આ પણ વાંચો---- વડાપ્રધાનના નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી HPV રસીકરણ અભિયાનનો આજથી શુભારંભ


