Iron Man's Moral Dilemma: જ્યારે એક ૨૦ વર્ષના છોકરાએ લોખંડી પુરુષ સરદાર પટેલને કરી દીધા નિરુત્તર!
Iron Man's Moral Dilemma : લોખંડી પુરુષ(Iron Man Of India)નું 'મૌન': જ્યારે એક યુવાનના સવાલે સરદાર પટેલને નિરુત્તર કરી દીધા!
સરદાર વલ્લભભાઈ પટેલ- Iron Man Of India એટલે એક એવું વ્યક્તિત્વ જેમના શબ્દોમાં મક્કમતા અને નિર્ણયોમાં લોખંડી દ્રઢતા હતી. દુનિયાના મુત્સદ્દીઓને પોતાની વાણીથી સ્તબ્ધ કરી દેનારા સરદારના જીવનમાં એક એવી ક્ષણ પણ આવી હતી, જ્યારે ૨૦ વર્ષના એક યુવાનના સવાલે તેમને અવાક કરી દીધા હતા.
Iron Man's Moral Dilemma : સવાલ જેણે આઝાદીના આંદોલનની કિંમત માંગી
ઘટના છે આઝાદી પછીના શરૂઆતના વર્ષોની. મુંબઈના ગવર્નર અને વરિષ્ઠ નેતા શ્રીપ્રકાશના પુત્ર તપોવર્ધનને પાઇલટ બનવું હતું. એરફોર્સમાં ભરતી માટે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત હતું, પણ તપોવર્ધન પાસે ડિગ્રી નહોતી. તેણે પિતાને પૂછ્યું:
"પિતાજી, તમે અને ગાંધીજીએ હાકલ કરી હતી કે 'અંગ્રેજી શિક્ષણ છોડો', અને મેં દેશ માટે કોલેજ છોડી દીધી. જો મેં તમારી વાત ન માની હોત તો આજે હું ગ્રેજ્યુએટ હોત. હવે તમારી જ સરકાર ડિગ્રી માંગે છે, તો મારો ગુનો શું? મેં દેશ માટે જે બલિદાન આપ્યું તેની આ સજા?"
શ્રીપ્રકાશે મૂંઝાઈને આ પ્રશ્ન સરદાર પટેલ સમક્ષ મૂક્યો.
Iron Man's Moral Dilemma : વચલો રસ્તો અને અટકી ગયેલો ન્યાય
સરદાર પટેલ પ્રશ્નની ગંભીરતા સમજી ગયા. કાયદો ફેરવવો શક્ય નહોતો, તેથી તેમણે પોતાની વગ વાપરી તપોવર્ધનને સિવિલ એવિએશનમાં પાઇલટ તરીકે જગ્યા અપાવી. થોડા સમય પછી જ્યારે સરદારે પૂછ્યું કે, "તપો હવે રાજી છે ને?" ત્યારે શ્રીપ્રકાશે જે જવાબ આપ્યો તે હૃદયદ્રાવક હતો.
તપોવર્ધને પૂછ્યું હતું: "હું પાઇલટ બન્યો કારણ કે હું તમારો પુત્ર છું અને સરદારની ભલામણ છે. પણ પેલા હજારો યુવાનોનું શું જેમણે ગાંધીજીના કહેવાથી ભણતર છોડ્યું અને આજે રસ્તા પર રખડે છે? આનો જવાબ તમારી પાસે છે?"
ઇતિહાસ નોંધે છે કે, ભલભલા વિરોધીઓને પરાસ્ત કરનાર સરદાર પટેલ એ ક્ષણે શાંત રહી ગયા. તેમની પાસે આનો કોઈ જવાબ નહોતો. તેમણે માત્ર એટલું જ કહ્યું, "તારી વાત સાચી છે."
રાજકીય જૂથબંધી પર ધારદાર કટાક્ષ
એ જ મુલાકાત દરમિયાન શ્રી પ્રકાશે નેહરુ અને સરદાર વચ્ચેની જૂથબંધી વિશે પૂછ્યું. ત્યારે સરદારે હસીને એવો જવાબ આપ્યો જે આજે પણ રાજકારણીઓ માટે પાઠ છે:
"જો પ્રધાનમંડળમાં જૂથો હોય તો મને ખબર નથી, પણ જો હોય... તો હું 'સરદારના જૂથ'માં છું!"
કમનસીબે, તપોવર્ધનનું ટૂંક સમયમાં વિમાન અકસ્માતમાં અવસાન થયું. તેની સાથે એ પ્રશ્ન પણ અધૂરો રહી ગયો. સરદારના એ મૌનમાં દેશના હજારો યુવાનોની વેદના છુપાયેલી હતી. આજે સરદાર નથી કે શ્રીપ્રકાશ નથી, પણ તપોવર્ધનનો એ સવાલ આજે પણ આપણી વ્યવસ્થા સામે આરસી ધરે છે.
આ પણ વાંચો : Bhishma Pitamah : શરશૈયા-ભીષ્મ પર કલંક કે કૃષ્ણભક્તિની પરાકાષ્ઠા?


