Union Budget 2025 : મોબાઇલ ફોન,LED, બેટરી સસ્તી થઈ , જ્યારે બજેટમાં આ વસ્તુઓ મોંઘી થઈ
- નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું
- કૃષિ ક્ષેત્રની સાથે સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ મોટી ભેટ
- કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા
Union Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે જાહેરાત કરી કે કેન્સરની દવાઓ, મોબાઇલ બેટરી, વણાટકામથી તૈયાર કરેલા કપડાં, ચામડાની વસ્તુઓ, મોબાઇલ ફોન, બેટરી, LED અને LCD ટીવી અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. ત્યારે, ઇમ્પોર્ટેડ મોટરસાઇકલ, ઇન્ટરેક્ટિવ ફ્લેટ, પેનલ ડિસ્પ્લે અને પ્રીમિયમ ટીવી મોંઘા થશે.
કેન્સરની દવાઓ સસ્તી થશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રની સાથે સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ મોટી ભેટ આપી છે, જ્યાં એક તરફ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટમાં, કેન્સરના દર્દીઓની સારવાર માટે કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે. KPMG એ તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રો સ્થાપવાની યોજનાને સમર્થન આપ્યું છે. આ યોજના કેન્સરના દર્દીઓને સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે સારી છે. સરકારે કેન્સર સહિત અન્ય ગંભીર રોગો માટેની 36 દવાઓ સસ્તી કરી છે.
ચામડાની વસ્તુઓ સસ્તી થઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ચામડાની વસ્તુઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. હવે ચામડાની વસ્તુઓ સસ્તી થશે. કારણ કે સરકારે તેના પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટ આપી છે. દેશમાં વણાટકામ કરનારાઓને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Union Budget 2025 : ખેડૂત, વિદ્યાર્થી, કામદારોને બજેટમાંથી શું મળ્યું ? જાણો સરકારની મોટી જાહેરાતો
ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેરાત કરી કે હવે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. સરકારના આ નિર્ણય બાદ દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળી શકે છે. મોબાઈલ અને લિથિયમ બેટરી પણ સસ્તી થશે. આ સાથે, સરકારે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી LED, LCD અને ટીવી સસ્તા કરવાની જાહેરાત કરી છે.
આ વસ્તુઓ મોંઘી છે
આયાતી મોટરસાયકલો, ઇન્ટરેક્ટિવ ફ્લેટ્સ, પેનલ ડિસ્પ્લે અને પ્રીમિયમ ટીવી મોંઘા થશે.
સોના-ચાંદી પર કોઈ અસર નહીં પડે
આ વખતે બજેટ 2025માં સોના અને ચાંદીની આયાત ડ્યૂટી પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી, તેની અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળશે નહીં.
આ પણ વાંચો : Budget 2025 : મહિલાઓ, SC/ST અને પછાત વર્ગ માટે નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત?