Parshuram Jayanti : કેમ ભગવાન પરશુરામે પોતાનો ફરસો જમીનમાં દાટી દીધો? વાંચો રોમાંચક કથા
- Parshuram Jayanti : ઝારખંડના ગુમલામાં આવેલું છે ભગવાન પરશુરામનું રહસ્યમય તપસ્યા સ્થળ
- ટાંગીનાથ ધામમાં હજારો વર્ષોથી સચવાયેલી છે પરશુરામજીનો ફરસો
- શિવ ધનુષ્ય તૂટ્યા બાદ પશ્ચાતાપ કરવા ભગવાન અહીં આવ્યા હોવાની માન્યતા
- આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ અને અવશેષોમાં છુપાયેલું છે પ્રાચીન કળાનું રહસ્ય
- ભગવાન પરશુરામની જયંતિ પર જાણો આ પવિત્ર ધામની અજાણી વાતો
Parshuram Jayanti : આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ (Parshuram Jayanti) ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામજીનો ઉલ્લેખ રામાયણથી લઈને અનેક પુરાણોમાં જોવા મળે છે. ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર એવા પરશુરામ જન્મથી બ્રાહ્મણ હોવા છતાં અત્યંત પરાક્રમી યોદ્ધા હતા. તેમના શસ્ત્ર 'પરશુ' (ફરસા)ને કારણે તેઓ પરશુરામ તરીકે ઓળખાયા.
Parshuram Jayanti : ટાંગીનાથ ધામ પૌરાણિક કથાનો જીવંત પુરાવો
ઝારખંડના ગુમલા જિલ્લામાં આવેલું ટાંગીનાથ ધામ (Tanginath Dham) આજે પણ પૌરાણિક ઇતિહાસની સાક્ષી પૂરે છે. માન્યતા છે કે આ તે પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન પરશુરામે ઘોર તપસ્યા કરી હતી. અહીં જમીનમાં એક વિશાળ ફરસો દાટેલો છે, જે જોવામાં ભગવાન શિવના ત્રિશૂળ જેવો જ લાગે છે. ભક્તો આ શસ્ત્રને શિવ અને શક્તિના પ્રતીક તરીકે પૂજે છે.
રામાયણ સાથે જોડાયેલું છે આ મંદિરનું રહસ્ય
પૌરાણિક કથા મુજબ, જ્યારે ભગવાન રામે જનકપુરીમાં સીતામાતાના સ્વયંવર દરમિયાન શિવજીનું પિનાક ધનુષ્ય (Pinak Dhanush) તોડ્યું, ત્યારે પરશુરામજી અત્યંત ક્રોધિત થઈને ત્યાં પહોંચ્યા હતા. લક્ષ્મણજી સાથેના ઉગ્ર સંવાદ બાદ જ્યારે તેમને જ્ઞાત થયું કે શ્રી રામ સ્વયં વિષ્ણુનો અવતાર છે, ત્યારે તેમનો ક્રોધ શાંત થયો. પશ્ચાતાપ કરવા માટે તેઓ જંગલો અને પર્વતોની વચ્ચે આવેલા આ એકાંત સ્થળે આવ્યા અને પોતાનું શસ્ત્ર ત્યાગીને ભગવાન શિવની આરાધનામાં લીન થઈ ગયા.
શિલ્પકળા અને ઐતિહાસિક મહત્વ
ટાંગીનાથ ધામ માત્ર ધાર્મિક જ નહીં, પણ પુરાતત્વીય દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે. અહીં ગણેશ, વિષ્ણુ, સૂર્યદેવ, દેવી દુર્ગા અને હનુમાનજીની પ્રાચીન મૂર્તિઓ આવેલી છે. આ સ્થળની શિલ્પકળા ઓડિશાના ભુવનેશ્વરના મુક્તેશ્વર મંદિર (Mukteshwar Temple) ને મળતી આવે છે. અહીં મળેલા અવશેષો અને અસુર કાળની રચનાઓ આ ધામને વધુ રહસ્યમય અને આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો----- PM મોદીના સંબોધનની 10 મોટી વાતો: વિપક્ષ પર આકરા પ્રહાર અને મહિલાઓ માટે નવો સંકલ્પ!


