West Bengal : શુભેન્દુ અધિકારીએ ચંદ્રકાંત રથની હત્યાને લઈ કહ્યું, "ભાજપ બધુ ઠીક કરશે"
- West Bengal ના રાજકારણમાં ઉકળતા ચરૂ જેવો માહોલ
- શુભેન્દુ અધિકારીએ કહ્યું મહા-જંગલ રાજનું પરિણામ
- હત્યારાઓએ પ્લાનિંગ કરી હત્યા કરી છે
- નજીકથી ગોળીબાર કરીને હત્યા કરાઈ
- ભાજપ અહીં ગુંડાઓને સાફ કરવાનું કામ શરૂ કરશે
West Bengal : ભાજપના (bjp) નેતા શુભેન્દુ અધિકારીએ તેમના નજીકના સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને થયેલી હત્યાને "ક્રૂર હત્યા" ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે હત્યારાઓએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુમલો કરતા પહેલા વિસ્તારની રેકી કરી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામોના (election result) 48 કલાકની અંદર એક ચોંકાવનારી ઘટના બની. શુભેન્દુ અધિકારીના કાર્યકારી સહાયક ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં થયેલા હુમલામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ રાત્રે લગભગ 10:30 વાગ્યે મધ્યમગ્રામના દોલતલા નજીક રથ વાહનને રોક્યું, તેને રોકવા માટે દબાણ કર્યું અને પછી ખૂબ નજીકથી ગોળીબાર (firing) કરીને ભાગી ગયા.
અમારી પાસે કોઈ શબ્દો નથી
શુભેન્દુએ કહ્યું કે પોલીસે તપાસ શરૂ કરી છે. "અમને ખૂબ જ દુઃખ છે અને આ ઘટનાની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી. દિલ્હીમાં અમારા સમગ્ર નેતૃત્વને આ વિશે જાણ થઈ છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પરિવાર અને પોલીસ સાથે વાત કરી છે. ઘણા નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો તેમના મતવિસ્તારમાંથી આવ્યા છે. પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે અને તેઓ તપાસ કરશે. તેમણે કહ્યું કે આ 'મહા-જંગલ રાજ'ના 15 વર્ષના કાર્યનું પરિણામ છે. ભાજપ અહીં ગુંડાઓને સાફ કરવાનું કામ શરૂ કરશે."
#WATCH | North 24 Parganas | On his PA, Chandra shot dead in Madhyamgram, BJP leader Suvendu Adhikari says, "This is a pre-planned murder, and this is what DGP said. A recce was done for 2-3 days and a murdered was fully planned. The police initiated investigation... We are… pic.twitter.com/XqcQR8Vz8D
— ANI (@ANI) May 6, 2026
ટીએમસીએ હત્યા અંગે શું કહ્યું?
ટીએમસીએ એક નિવેદનમાં કહ્યું, "અમે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની હત્યા તેમજ છેલ્લા ત્રણ દિવસમાં ભાજપ સમર્થિત બદમાશો દ્વારા ચૂંટણી પછીની હિંસામાં ત્રણ ટીએમસી કાર્યકરોની હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે."ટીએમસીએ કહ્યું, "અમે આ કેસમાં શક્ય તેટલી કડક કાર્યવાહીની માગ કરીએ છીએ, જેમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસનો સમાવેશ થાય છે, જેથી જવાબદારોને ઓળખી શકાય અને વિલંબ કર્યા વિના ન્યાય મળી શકે." ટીએમસીએ કહ્યું કે લોકશાહીમાં હિંસા અને રાજકીય હત્યાઓનું કોઈ સ્થાન નથી, અને ગુનેગારોને ઝડપથી સજા થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
બુધવારે રાત્રે કોલકાતાના ઉત્તરી સીમાડામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા શુભેન્દુ અધિકારીના અંગત સહાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના થોડા કલાકો પછી બનેલી આ ઘટનાએ તીવ્ર રાજકીય પ્રતિક્રિયાઓ ફેલાવી છે અને પ્રદેશમાં તણાવ વધારી દીધો છે. આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારના દોહરિયામાં બની હતી, જ્યાં સુવેન્દુ અધિકારીના સહાયક ચંદ્રનાથ રથ પર હુમલો કરવામાં આવ્યો હતો. બાઇક પર સવાર હુમલાખોરોએ તેમને નજીકથી ગોળી મારી હતી. અહેવાલો અનુસાર, હુમલાખોરોએ રથની કારનો પીછો કર્યો, તેને રોકી અને ગોળીબાર કર્યો. હુમલા પછી તરત જ તેઓ ભાગી ગયા. રથ ડ્રાઇવરની બાજુમાં આગળની સીટ પર બેઠો હતો. રથના ડ્રાઇવરને પણ ગોળી વાગી હતી અને તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગોળીબારમાં રથ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ચંદ્રકાંત રથ પર 4 રાઉન્ડ ફાયરિંગ, સારવાર દરમિયાન મોત


