ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મણિપુરમાં All is not well! શાળા, પેટ્રોલ પંપ અને આદિવાસીઓના ઘરોને લગાવવામાં આવી આગ

મણિપુરમાં હિંસા અને તણાવનો માહોલ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. જીરીબામમાં 6 મૃતદેહો મળ્યા બાદ તણાવ વધ્યો, અને રાજકીય પક્ષોની ઓફિસોમાં આગચંપી થઈ.
10:33 AM Nov 18, 2024 IST | Hardik Shah
મણિપુરમાં હિંસા અને તણાવનો માહોલ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. જીરીબામમાં 6 મૃતદેહો મળ્યા બાદ તણાવ વધ્યો, અને રાજકીય પક્ષોની ઓફિસોમાં આગચંપી થઈ.
Violence in Manipur

Violence in Manipur : મણિપુરમાં તણાવ ભરેલી પરિસ્થિતિ ફરી એકવાર ચરમ પર પહોંચી ગઇ છે. જીરીબામ જિલ્લામાં શનિવાર રાત્રે 6 મૃતદેહો મળ્યા બાદ તણાવ વધ્યો, અને રવિવારે રાજકીય પક્ષોની અનેક ઓફિસોમાં આગચંપી થઈ. આ ઘટનાને પગલે શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. કુકી-જો જનજાતિ સંગઠન સ્વદેશી જનજાતીય નેતાઓના મંચ (ITLF) એ જણાવ્યું કે, શનિવારે 5 ચર્ચ, એક શાળા, એક પેટ્રોલ પંપ અને 14 આદિવાસી ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. ITLF એ સુરક્ષા દળો પર આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ત્યજી દેવાયેલી ઇમારતોની સુરક્ષા કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

સંયુક્ત દળોની ફ્લેગ માર્ચ અને ધરપકડ

રવિવારે રાત્રે, તણાવ દૂર કરવા માટે સેના, આસામ રાઈફલ્સ, બીએસએફ, સીઆરપીએફ અને મણિપુર પોલીસ દ્વારા ઇમ્ફાલમાં ફ્લેગ માર્ચ યોજાઈ. મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર તોડફોડ અને આગચંપી માટે 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર, દારૂગોળા અને મોબાઇલ ફોન સહિતનો સામાન જપ્ત કર્યો છે. બરાક નદીમાં મળેલી એક મહિલાની લાશ અને અન્ય મૃતદેહોની ભેટથી તણાવ વધુ ગંભીર બની ગયો છે. જણાવી દઇએ કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મણિપુરમાં જાનહાનિ અને જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ તરફ દોરી રહેલી હિંસા સાથે જોડાયેલા 3 મામલા હાથ ધર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશ બાદ એજન્સીએ મણિપુર પોલીસ પાસેથી આ કેસો પોતાના કબજામાં લીધા છે.

ઘરોમાં તોડફોડ અને ટાયર સળગાવવાના બનાવો

શનિવારથી ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમમાં ટોળાએ મંત્રીઓ અને રાજકીય નેતાઓના ઘરો પર હુમલો કર્યો. તોફાન પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના શેલ અને રબર બુલેટ્સ ફાયર કરવામાં આવ્યા, જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા. રવિવારે મુખ્ય માર્ગો પર ટાયર સળગાવવાના અને વાહન વ્યવહાર રોકવાના બનાવો નોંધાયા હતા. 6 મૃતદેહોને શુક્રવાર અને શનિવારે બરાક નદી પાસેથી મળ્યા હતા, જે જીરીબામમાં ગુમ થયેલ 6 મહિલાઓ અને બાળકો હોવાનું માનવામાં આવે છે.

કર્ફ્યુ અને ઇન્ટરનેટ બંધ

વિસ્તૃત હિંસાની સ્થિતિને કારણે ઇમ્ફાલ ખીણમાં 5 જિલ્લાઓમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય સચિવ વિનીત જોશીએ 7 જિલ્લાઓમાં શનિવાર સાંજથી બે દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ અને ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો.

પરિસ્થિતિ ગંભીર, શાંતિ સ્થાપનાનું પડકાર

મણિપુરમાં સ્થિતી ગંભીર છે. સમગ્ર હિંસાને કાબૂમાં લેવાનું સરકારી દળો માટે મોટા પડકારથી ઓછું નથી. જે રીતે આ ઘટનાઓ એખ પછી એક બની રહી છે, તે રાજ્યમાં શાંતિ સ્થાપવાની જરુરિયાતને વધુ અસર કરી રહી છે.

આ પણ વાંચો:  Manipur માં પરિસ્થિતિ નિયંત્રણ બહાર, CM ના MLA જમાઈ અને 2 મંત્રીઓના ઘર પર હુમલો, ઇન્ટરનેટ બંધ

Tags :
6 bodies found in JiribamAssam RiflesBarak River body recoveryBSFCRPF operationsFlag march in ImphalGujarat FirstHardik ShahImphal clashesImphal roadblock protestsImphal unrestIndigenous leaders protestJiribam political tensionJiribam unrestManipurManipur conflict escalationManipur curfewManipur internet shutdownManipur NewsManipur security forces responseManipur ViolencePolitical leaders' houses attackedPolitical office arsonPolitical party offices burnedProtestors arrest in ImphalSupreme Court order failureTear gas and rubber bullets used
Next Article