Amit Shah kerala : ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્યો મોટો દાવો, હવે કેરળમાં 'કમળ' ખીલશે!
- ગૃહમંત્રી અમિતભાઇ શાહે કેરળમાં આપ્યું મોટું નિવેદન (Amit Shah kerala)
- કેરળમાં પણ ભાજપની બનશે સરકાર
- અમિતભાઇ શાહે LDF અને UDF પર કર્યા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કેરળમાં ભાજપના વધતા વર્ચસ્વ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભલે કેરળમાં ભાજપનો માર્ગ સરળ રહ્યો નથી, પરંતુ પાર્ટી સતત મજબૂત થઈ રહી છે અને હવે રાજ્યમાં સરકાર બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, જે રીતે ઉત્તર પ્રદેશ અને આસામમાં ભાજપે પરિવર્તન આણ્યું છે, તે જ કહાણી હવે કેરળમાં દોહરાવાશે.
Amit Shah kerala : અમિતભાઇ શાહે LDF અને UDF પર કર્યા પ્રહાર
નોંધનીય છે કે LDF અને UDF પર 'મેચ ફિક્સિંગ'નો આરોપ કેરળમાં સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓને સંબોધતા અમિત શાહે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને "મેચ ફિક્સિંગ" માં સામેલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ ગઠબંધન કેરળનો વિકાસ કે સુરક્ષા સુનિશ્ચિત કરી શકે તેમ નથી.
#WATCH | Thiruvananthapuram, Kerala: Speaking about the BJP's win in Thiruvananthapuram Municipal Corporation, the Union Home Minister Amit Shah says, "...This victory is not our goal... but a stepping stone towards achieving our goal... Our ultimate goal is to form a government… pic.twitter.com/jwsAsckAYh
— ANI (@ANI) January 11, 2026
Amit Shah kerala : કેરળમાં ખીલશે કમળ!
આસામ, મણિપુર અને UPના ઉદાહરણોથી કાર્યકરોમાં ભર્યો જોશ ગૃહમંત્રીએ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ભાજપ એક સમયે આસામમાં માત્ર બે બેઠકો જીતતું હતું, આજે ત્યાં બીજી વાર સરકાર છે. મણિપુરમાં ક્યારેય ખાતું નહોતું ખુલ્યું, ત્યાં પણ આજે ભાજપ સત્તામાં છે. ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં પણ સખત મહેનતના જોરે ભાજપે સત્તા હાંસલ કરી છે. અમિત શાહે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 2047 સુધીમાં 'વિકસિત ભારત' સાથે કેરળમાં પણ ભાજપનો મુખ્યમંત્રી જોવાનું છે.
કેરળની ઓળખ અને સુરક્ષાનું રક્ષણ અમિત શાહે સ્વીકાર્યું કે કેરળમાં કમળ ખીલવવું પડકારજનક હતું, પરંતુ લાખો સમર્પિત કાર્યકરોની મહેનત હવે રંગ લાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપનું અંતિમ લક્ષ્ય કેરળને રાષ્ટ્રવિરોધી શક્તિઓથી બચાવવાનું અને રાજ્યની સદીઓ જૂની શ્રદ્ધા અને ઓળખનું રક્ષણ કરવાનું છે.


