Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal માં બાગડોગરા એરપોર્ટ પર વાયુસેનાનું વધુ એક વિમાન ક્રેશ, ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

ભારતીય વાયુસેનાના બે વિમાન આજે (શુક્રવારે) ક્રેશ થયા. પહેલો અકસ્માત હરિયાણાના પંચકુલામાં થયો અને બીજો અકસ્માત પશ્ચિમ બંગાળના બાગડોગરામાં થયો. બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું.
west bengal માં બાગડોગરા એરપોર્ટ પર વાયુસેનાનું વધુ એક વિમાન ક્રેશ  ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
Advertisement
  • બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયું
  • વિમાનના તમામ ક્રૂ મેમ્બર સંપૂર્ણપણે સુરક્ષિત
  • ભારતીય વાયુસેનાના અધિકારીએ દુર્ઘટના અંગે માહિતી આપી

West Bengal IAF Plane Crash : પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારતીય સેનાનું વધુ એક વિમાન ક્રેશ થયું છે. શુક્રવારે બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાનના તમામ ક્રૂ મેમ્બર સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાના અધિકારીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે.

AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર શુક્રવારે AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. વિમાનને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યું છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી. વિમાનના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો :  2020 દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને મળ્યા 15 દિવસના વચગાળાના જામીન

ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો

ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયાની માહિતી મળતા જ એરપોર્ટ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા દળોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને મામલાની તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને એક તસવીર સામે આવી છે, જેમાં પ્લેન જમીન પર પડતું જોવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઈમરજન્સી લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હતું.

પંચકુલામાં જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ

તમને જણાવી દઈએ કે આ પહેલા હરિયાણાના પંચકુલામાં એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ, જોકે પાયલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવી લીધો. આ અકસ્માત વિમાનની સિસ્ટમમાં ખામીને કારણે થયો હતો. ભારતીય વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :  Delhi મહોલ્લા ક્લિનિક બંધ કરવાની જાહેરાત પર ભડક્યા સત્યેન્દ્ર જૈન, સરકાર પર લગાવ્યા મોટા આરોપ

Tags :
Advertisement

.

×