Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

AndhraPradesh ના કોનસીમામાં ONGC ગેસ લીકેજ બાદ ભીષણ આગ,સ્થાનિકોમાં ભારે દહેશત!

આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમા જિલ્લામાં ONGCની પાઇપલાઇનમાં ગેસ લીકેજ થતાં ભારે અફરાતફરી મચી છે. રાજોલુ શહેરના ઈરુસુમંડા અને મલિકીપુરમમાં લીકેજ બાદ અનેક સ્થળોએ ભીષણ આગ લાગી છે. સુરક્ષાના કારણોસર ત્રણ ગામોનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે અને ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે. હાલ ONGCની ટીમ, પોલીસ અને ફાયર બ્રિગેડ સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવા અને લીકેજ બંધ કરવા પ્રયાસ કરી રહ્યા છે.
andhrapradesh ના કોનસીમામાં ongc ગેસ લીકેજ બાદ ભીષણ આગ સ્થાનિકોમાં ભારે દહેશત
Advertisement
  • આંધ્રપ્રદેશના કોનસીમામાં ગેસ લીકેજની મોટી ઘટના (Andhra Pradesh Gas Leakage)
  • ONGC ગેસ લીકેજથી સ્થાનિકોમાં ભયનો માહોલ
  • ગેસ લીકેજથી અનેક સ્થળો પર આગની ઘટના  

આંધ્રપ્રદેશમાં ગેસ લીકેજની ઘટનાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગેસ લીકેજના લીધે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી લોકોમાં ભયનો માહોલ છે. મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થવાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. અનેક સ્થળોએ આગ પણ લાગી છે, જેમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.

Advertisement

પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો

Andhra Pradesh Gas Leakage : આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી અફરાતફરી સર્જાઇ છે.   નજીકના રહેવાસીઓએ ONGC અધિકારીઓને ગેસ લીકેજની જાણ કરી છે. વહીવટી સ્ટાફ ONGC ટીમો સાથે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યો છે. આગ લાગ્યા બાદ, સ્થળાંતરનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

Advertisement

ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવાનું કામ કરી રહી છે

 ફાયર વિભાગના અધિકારી બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે મલિકીપુરમ વિભાગના ઇરુસુમંડા ગામમાં ગેસ લીકેજ થયો છે. સ્થાનિક લોકોએ ONGC અધિકારીઓને ઘટનાની જાણ કરી છે. ONGC અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ સાથે મળીને આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. ગ્રામજનો ગભરાઈ ગયા છે અને ખુબ  ડરી ગયા છે.આ ઘટનાને લઇને ત્રણ ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ONGC ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગેસ લીક ​​થવાને રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ ગેસ લીકેજના લીધે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમાજિલ્લાના રાજોલુ શહેરના ઇરુસુમંડા અને મલિકીપુરમ વિભાગમાં ONGC ગેસ લીકેજથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: RSSના સંગઠનો સાથે નીતિન નબીનની બેઠક, ભાજપ-સરકારમાં મોટા ફેરબદલનો ગણગણાટ

Tags :
Advertisement

.

×