ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેદારનાથ ધામમાં ફરી એકવાર મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતાં 2 શ્રદ્ધાળુના મોત; 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ કેદારનાથ ધામના યાત્રા માર્ગ પર ફરી એકવાર દુ:ખદ ઘટના બની છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા જંગલચટ્ટી વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
02:14 PM Jun 18, 2025 IST | Hardik Shah
ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ કેદારનાથ ધામના યાત્રા માર્ગ પર ફરી એકવાર દુ:ખદ ઘટના બની છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા જંગલચટ્ટી વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
Kedarnath Landslide News

Kedarnath Landslide News : ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ કેદારનાથ ધામ (Kedarnath Dham) ના યાત્રા માર્ગ પર ફરી એકવાર દુ:ખદ ઘટના બની છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા જંગલચટ્ટી વિસ્તારમાં ભૂસ્ખલન (Landslide) ના કારણે 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ યાત્રા માર્ગની સુરક્ષા અને વરસાદના કારણે વધી રહેલા ભૂસ્ખલન (Landslide) ના જોખમો અંગે ચિંતા વધારી છે. પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (DDRF) દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભૂસ્ખલનની ઘટના

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે યાત્રાળુઓનું એક જૂથ જંગલ ચટ્ટી પાર કરી રહ્યું હતું. આ ઘટનામાં ઉપરની ટેકરી પરથી પથ્થરો અને કાટમાળ ધસી આવ્યા, જેની ઝપેટમાં કેટલાક શ્રદ્ધાળુઓ આવી ગયા. આ કાટમાળના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબક્યા, જેમાં 2 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. 3 અન્ય શ્રદ્ધાળુઓ, જેમાં 1 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે બંને પુરુષોની હાલત ગંભીર છે.

ઘટનાનો સમય અને રેસ્ક્યૂ ઓપરેશન

આ દુર્ઘટના 18 જૂન, 2025ના રોજ સવારે લગભગ 11:20 વાગ્યે બની. ઘટનાની જાણ થતાં જ જંગલચટ્ટી ખાતે તૈનાત પોલીસ દળ અને DDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે ખીણમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને પોલીસ હાલમાં તેમની ઓળખ સ્થાપિત કરવાની કાર્યવાહી કરી રહી છે.

વરસાદના કારણે વધતો ખતરો

ઉત્તરાખંડમાં ચાલી રહેલા ભારે વરસાદે ભૂસ્ખલનના જોખમને વધારી દીધું છે. કેદારનાથ યાત્રા માર્ગ, જે પહેલેથી જ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવેલો છે, તે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી વારંવાર પ્રભાવિત થાય છે. આ ઘટના પહેલાં પણ જંગલચટ્ટી અને ગૌરીકુંડ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેના કારણે યાત્રા અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ શ્રદ્ધાળુઓને હવામાનની ચેતવણીઓનું પાલન કરવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો :  Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, મુખ્યમંત્રી ધામીએ નિષ્ણાંતોની સમિતિ રચવાનો આપ્યો આદેશ

Tags :
DDRF rescue operation KedarnathDeadly landslide India 2025Environmental sensitivity of KedarnathGaurikund Kedarnath route landslideGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHeavy rain in Kedarnath regionJungle Chatti accidentKedarnathkedarnath landslideKedarnath landslide 2025Kedarnath Landslide NewsKedarnath NewsKedarnath Yatra disruptionKedarnath yatra weather alertLandslide in KedarnathLandslide victims identification ongoingMonsoon danger in UttarakhandPilgrimage route blockedPilgrims fall into gorgePilgrims killed in UttarakhandPost-mortem underway for victimsRain-triggered landslides UttarakhandRudraprayag district landslidethree injured KedarnathTwo deadUttarakhand Landslide NewsYatra safety concerns Kedarnath
Next Article