ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Assam Mine Accident : ખાણ અકસ્માતમાં એક મૃતદેહ મળ્યો, 8 મજૂરો હજુ પણ ખાણમાં ફસાયા

Assam ઉમરાંગસોમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના આસામના ખાણમાં પાણી ભરાતા 9 લોકો ફસાયા ખાણમાં ફસાયેલા 9 માંથી 1 નું મોત, 8 લોકો હજુ ફસાયેલા આસામ (Assam)ના ઉમરાંગસોમાં કોલસાની ખાણમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. NDRF ના એક અધિકારીના નિવેદન...
11:29 AM Jan 08, 2025 IST | Dhruv Parmar
Assam ઉમરાંગસોમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના આસામના ખાણમાં પાણી ભરાતા 9 લોકો ફસાયા ખાણમાં ફસાયેલા 9 માંથી 1 નું મોત, 8 લોકો હજુ ફસાયેલા આસામ (Assam)ના ઉમરાંગસોમાં કોલસાની ખાણમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. NDRF ના એક અધિકારીના નિવેદન...

આસામ (Assam)ના ઉમરાંગસોમાં કોલસાની ખાણમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. NDRF ના એક અધિકારીના નિવેદન અનુસાર, NDRF , ભારતીય સેનાના ડાઇવર્સ દ્વારા એક મૃતદેહ મળી આવ્યો છે. ભારતીય સેના, આસામ (Assam) રાઈફલ્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRA), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને અન્ય એજન્સીઓની આગેવાની હેઠળ સંયુક્ત બચાવ અભિયાન ઉમરાંગસો, દિમા હસાઓ ખાતે કોલસાની ખાણમાં ફસાયેલા 9 ખાણિયોને બચાવવા માટે વહેલી સવારે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આ ઓપરેશનને અસ્થાયી રૂપે અટકાવવું પડ્યું હતું, પરંતુ આજે, 8 જાન્યુઆરીએ સંપૂર્ણ બળ સાથે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

NDRF ના ડેપ્યુટી કમાન્ડન્ટ એન તિવારીના જણાવ્યા અનુસાર, વિસ્તૃત ટીમ સાથે ચોવીસ કલાક પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, ગઈકાલે સાંજે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું અને આજે સવારે અમે ફરીથી ઓપરેશન શરૂ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે અમે મજૂરો સુધી જલદી પહોંચીશું અને તેમને બચાવીશું. તિવારીએ કહ્યું કે, NDRF અને આર્મીની સંયુક્ત ટીમ જમીન પર કામ કરી રહી છે, આગામી કલાકોમાં નેવીની પણ મદદની અપેક્ષા છે. તેમણે કહ્યું કે અમારા કમાન્ડન્ટ, અમારી ટીમ, આર્મીના તમામ લોકો અહીં છે. બાદમાં નૌકાદળના અધિકારીઓ પણ બચાવ કામગીરીમાં જોડાશે. ખાણમાં કામ કરતા એક મજૂરોએ જણાવ્યું કે ખાણમાં ઘણા બધા લોકો હતા અને અચાનક લોકો બૂમો પાડવા લાગ્યા કે પાણી ભરાઈ રહ્યું છે, લગભગ 30-35 લોકો ઉપર આવ્યા અને લગભગ 15-16 લોકો હજુ પણ ફસાયેલા છે.

આ પણ વાંચો : Nitin Gadkari એ કેશલેસ સારવાર યોજનાને આપી મંજૂરી...

પુનીશ નુનિસા નામની વ્યક્તિની ધરપકડ...

દરમિયાન, ઉમરાંગસોમાં બચાવ કામગીરી ચાલુ હોવાથી, આસામ (Assam)ના CM હિમંતા બિસ્વા સરમાએ આ ઘટનાના સંબંધમાં FIR નોંધવાની અને એક વ્યક્તિની ધરપકડ કરવાની જાહેરાત કરી હતી. ટ્વિટર પરની એક પોસ્ટમાં, સરમાએ જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનાની તપાસ કરવા માટે ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 ની કલમ 21(1) નંબર 02/2025 હેઠળ ઉમરાંગસો પીએસ કેસ દાખલ કર્યો છે. પ્રથમ દૃષ્ટિએ, તે ગેરકાયદેસર ખાણ હોવાનું જણાય છે. આ કેસના સંબંધમાં પુનેશ નુનિસા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. CM એ કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડી સાથે બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરી અને મદદ માંગી.

આ પણ વાંચો : ISRO ના નવા અધ્યક્ષ તરીકે વી નારાયણન નિયુક્ત, ભારતીય અવકાશવિજ્ઞાનને નવી દિશા

Tags :
AssamAssam coal Mine AccidentAssam Mine Accidentbreaking newscoal mineDhruv ParmarGuajrati NewsGUJARAT FIRST NEWSIndiaNationalNDRFRescue
Next Article