Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

એરલાઇન સેક્ટર માટે મોટી રાહત, મોદી સરકારે ATF ના ભાવ ઘટાડવા ફાળવ્યા ₹10,000 કરોડ

પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ ભારે સંકટનો સામનો કરી રહ્યો હતો. ઇંધણના ભાવમાં થયેલો અઢી ગણો વધારો એરલાઇન્સની કમર તોડી રહ્યો હતો. ત્યારે જ કેન્દ્ર સરકારે અચાનક એક મોટું પગલું ઉઠાવીને દસ હજાર કરોડના ભંડોળની જાહેરાત કરી છે. આખરે આ ભંડોળ કઈ રીતે કામ કરશે અને તેનાથી એરલાઇન્સ અને મુસાફરોને શું સીધો ફાયદો થવાનો છે તે અત્યારે સૌથી મોટી ચર્ચાનો વિષય છે.
એરલાઇન સેક્ટર માટે મોટી રાહત  મોદી સરકારે atf ના ભાવ ઘટાડવા ફાળવ્યા ₹10 000 કરોડ
Advertisement

ATF Relief : પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા અમેરિકા-ઈરાન યુદ્ધ [US-Iran Conflict] ની નકારાત્મક અસર ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંઘર્ષને કારણે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં અસહ્ય વધારો થતાં એરલાઇન્સ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ હતી. આ સંકટને પહોંચી વળવા માટે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે [Union Cabinet] એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ATF Relief : ATF ભાવ સ્થિરીકરણ ભંડોળની મંજૂરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ, સરકારે ₹10,000 કરોડનું 'ATF ભાવ સ્થિરીકરણ ભંડોળ' બનાવવાની મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉદ્દેશ્ય એરલાઇન્સ અને મુસાફરો પરના વધતા બોજને ઘટાડવાનો છે. સ્થાનિક કામગીરી માટે સરકારે ATF ના ભાવ ₹75.6 પ્રતિ લિટર નક્કી કર્યા છે, જે ઉદ્યોગને મોટી રાહત આપશે.

Advertisement

Advertisement

ઇંધણના ભાવમાં 2.5 ગણો જંગી ઉછાળો

મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ATF ના ભાવ માર્ચ 2026 માં ₹60.5 હતા, જે મે 2026 સુધીમાં વધીને ₹142 પ્રતિ લિટર સુધી પહોંચી ગયા હતા. સામાન્ય રીતે એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં ATF નો હિસ્સો 40% હોય છે, જે અસ્થિરતાના સમયમાં વધીને 60% સુધી પહોંચી જાય છે, જે એરલાઇન્સ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું હતું.

સ્વ-નિર્ભર મોડેલ અને ભંડોળની કામગીરી

સરકારની આ યોજના વ્યાજમુક્ત લોનના સ્વરૂપે કામ કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય [Ministry of Petroleum and Natural Gas] આ રકમ તેલ માર્કેટિંગ કંપનીઓ [OMC] ને આપશે. આ મોડેલ સ્વ-નિર્ભર છે, એટલે કે ભવિષ્યમાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટશે, ત્યારે તફાવતની રકમ સરકારની તિજોરીમાં જમા થઈ જશે.

શેરબજારમાં ઉડ્ડયન શેરોમાં તેજી

સરકારના આ રાહત પેકેજની અસર શેરબજારમાં પણ જોવા મળી છે. કેબિનેટના નિર્ણય બાદ ઇન્ટરગ્લોબ એવિએશન [InterGlobe Aviation - IndiGo] ના શેરમાં આશરે 1.62% નો ઉછાળો નોંધાયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે આ પગલાથી એરલાઇન્સના માર્જિનમાં સુધારો થશે.

આ પણ વાંચો:  DK Shivakumar CM : કર્ણાટકના 34મા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારે લીધા શપથ

Tags :
Advertisement

.

×