Axiom-4 મિશન સ્થગિત! શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રામાં એકવાર ફરી વિલંબ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' ટેસ્ટ પછી બૂસ્ટર ચેક દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશન પર બ્રેક મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Advertisement
- ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું AXIOM-4 મિશન ફરી ટળ્યું
- આજે સાંજે 5.30 વાગે AXIOM-4 મિશન થવાનું હતુ લોન્ચ
- સ્ટેટિક ફાયર પરીક્ષણ બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય
- બુસ્ટરની તપાસ બાદ લિક્વિડ ઓક્સિજન લીક માલૂમ પડ્યું
- એન્જિનિયરોએ રોકેટમાં લીકેજના મરમ્મત માટે માગ્યો સમય
- મરમ્મત પૂર્ણ થયા બાદ લોન્ચિંગની નવી તારીખનું કરાશે એલાન
Axiom Mission : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન, જે ભારત અને નાસા (NASA) વચ્ચેના સહયોગનું એક મહત્વપૂર્ણ પગલું છે, તેને તકનીકી સમસ્યાને કારણે ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશનની તૈયારીઓ દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકની સમસ્યા સામે આવી, જેના કારણે SpaceXએ આ લોન્ચને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લીધો. આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા.

