ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP : બાગપતમાં ધાર્મિક કાર્યક્રમમાં દુર્ઘટના, સ્ટેજ તૂટી પડતાં 50થી વધુ શ્રદ્ધાળુ થયા ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બારૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો. ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ નિમિત્તે માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું.
10:22 AM Jan 28, 2025 IST | Hardik Shah
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બારૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો. ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ નિમિત્તે માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું.
Baghpat Laddo Festival Accident

Baghpat Laddo Festival Accident : ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બારૌત શહેરમાં મંગળવારના રોજ એક મોટો અકસ્માત સર્જાયો, જે દરમિયાન માન સ્તંભ સંકુલમાં લાકડાનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું. આ દુઃખદ ઘટના ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવના અવસર પર ઘટી હતી. આ ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જેમાં 2 મહિલાઓ સહિત 5 પુરુષોનો સમાવેશ થાય છે. વધુમાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

લાકડાનું સ્ટ્રક્ચર તૂટી પડતા દુર્ઘટના ઘટી

આ દુઃખદ ઘટના બારૌતના ગાંધી રોડ પર બની. ઘટના એ સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓ 65 ફૂટ ઊંચા સ્ટેજ પર ચઢી રહ્યા હતા, જ્યા માનસ્તંભ પર મુકેલી મુર્તિનો અભિષેક કરવાનો હતો. આ સ્ટેજ પર લાકડાના સ્ટ્રક્ચર પર શ્રદ્ધાળુઓ ચઢી રહ્યા હતા, ત્યારે એક કામચલાઉ લાકડાનું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. આ કારણે સીડીના નીચે 80 થી વધુ શ્રદ્ધાળુઓ દટાઈ ગયાં હતા. આકસ્મિક દ્રષ્ટિએ, દુઃખદ ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આકસ્મિક રીતે લાકડાનું સ્ટ્રક્ચર તૂટી પડતા અનેક લોકો નીચે દટાઈ ગયા હતા. આ દુઃખદ ઘટના પછી, 7 લોકોના મૃત્યુ થવા સાથે 80 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ લોકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલ લોકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મૃતદેહોના પોસ્ટમોર્ટમ અંગે ભારે હોબાળો

ઘટના બાદ, મૃતદેહોના પોસ્ટમોર્ટમ અંગે ભારે હોબાળો મચી ગયો. શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારો પોસ્ટમોર્ટમ કરાવા માંગતા નહોતા. લોકોના રોષને ધ્યાને રાખી, બાગપતના ડી.એમ. અને એસ.પી.ને સમસ્યાનો સામનો કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા લોકો આ અધિકારીઓને ઘેરીને ઉગ્ર દલીલ કરવા લાગ્યા. આ દરમિયાન, એસ.પી. અર્પિત વિજયવર્ગીયે પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચી અને રાહત અને બચાવ કાર્યમાં જોડાયા. તે પછી ઘાયલ લોકોને તાત્કાલિક રાહત આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આ સમયે 80 થી વધુ ઘાયલ લોકોને ઈ-રિક્ષામાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દુર્ઘટના બાદ પોલીસ અને હાજર લોકોએ રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કર્યું,

આ પણ વાંચો :  મહાકુંભ માટે સસ્તી હવાઈ મુસાફરી ઉપલબ્ધ થશે, DGCA અને સરકારે લીધો મોટો નિર્ણય

Tags :
65-foot stage collapseArpit VijayvargiyaBaghpatBaghpat accidentBaghpat hospital treatmentBaghpat Laddo Festival AccidentBaghpat newsBaghpat police responseBaghpat religious programBaghpat rescue operationBaghpat tragedyCasualties and injuriesDevotees injuredDevotees' safety concernsE-rickshaw hospital transportEmergency ReliefGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahLaddo festivalPost-mortem disputeReligious event disasterReligious festival tragedyShrine accidentUP TragedyWooden structure collapse
Next Article