Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan Ceasefire પર બાંગ્લાદેશની પહેલી પ્રતિક્રિયા, જાણો મોહમ્મદ યુનુસે શું કહ્યું

મોહમ્મદ યુનુસે કહ્યું કે હું ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના વડા પ્રધાનનો તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમતિ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.
india pakistan ceasefire પર બાંગ્લાદેશની પહેલી પ્રતિક્રિયા  જાણો મોહમ્મદ યુનુસે શું કહ્યું
Advertisement
  • યુદ્ધવિરામ કરાર પર બાંગ્લાદેશે પ્રતિક્રિયા આપી
  • યુનુસે PM મોદી અને શાહબાઝ શરીફનો આભાર માન્યો
  • યુનુસે પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા

Bangladesh Reaction: શનિવારે (10 મે, 2025) ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર (Ceasefire agreement)ની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી હતી. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે.

મોહમ્મદ યુનુસે તેમની પોસ્ટમાં કહ્યું...

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમની પોસ્ટમાં કહ્યું, "હું ભારતના PM નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનો તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થવા અને વાટાઘાટોમાં જોડાવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું."

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા

પોતાની પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા યુનુસે કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે અસરકારક રીતે મધ્યસ્થી કરવા બદલ હું US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોની પણ પ્રશંસા કરવા માંગુ છું." તેમણે વધુમાં કહ્યું, "બાંગ્લાદેશ તેના બંને પડોશી દેશોને રાજદ્વારી માધ્યમથી મતભેદોને ઉકેલવાના તેમના પ્રયાસોમાં સમર્થન આપવાનું ચાલુ રાખશે."

Advertisement

આ પણ વાંચો : China નું Pak ને ખુલ્લુ સમર્થન, વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું - અમે પાકિસ્તાન સાથે ઉભા રહીશું

ભારતના બદલાથી પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો

પાકિસ્તાની આતંકવાદી હુમલા પછી, જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં બદલો લીધો, ત્યારે પાકિસ્તાનને પરસેવો પાડી દીધો. પાકિસ્તાન સરકારે વિશ્વના અન્ય દેશોને ભારત પર દબાણ લાવવાની અપીલ કરવાનું શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો અને તેના તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવ્યા.

યુદ્ધવિરામ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો

તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર થયેલી સર્વસંમતિ વિશે વાત કરી. ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પછી, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે યુદ્ધવિરામની જાહેરાત કરી. જેના પર ભારત સંમત થયું.

આ પણ વાંચો :  Trump card કામ ન આવ્યું! પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો; હવે PM શાહબાઝ અને આર્મી ચીફ મુનીર વચ્ચે ટકરાવ

Tags :
Advertisement

.

×