ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhopal Gas Tragedy : દુર્ઘટનાની કાળી રાતને યાદ કરી CM મોહન યાદવે કહ્યું- આવી ઘટના દુનિયાએ ક્યારેય નથી જોઈ

ભોપાલ ગેસ દુર્ઘટનાની 40મી વર્ષગાંઠ પર, મુખ્યમંત્રી મોહન યાદવે આ દુઃખદ ઘટનાને યાદ કરી. 1984માં ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાથી 5400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તે દિવસે તેઓ ભોપાલમાં હતા અને આવી દુર્ઘટના ક્યારેય જોઈ નહોતી. આ દુર્ઘટનાએ કેટલાય પરિવારોના જીવનમાં આફત સર્જી હતી અને તેના પીડાદાયક પરિણામો આજે પણ દેખાઈ રહ્યા છે.
09:30 PM Dec 03, 2024 IST | Hardik Shah
ભોપાલ ગેસ દુર્ઘટનાની 40મી વર્ષગાંઠ પર, મુખ્યમંત્રી મોહન યાદવે આ દુઃખદ ઘટનાને યાદ કરી. 1984માં ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાથી 5400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તે દિવસે તેઓ ભોપાલમાં હતા અને આવી દુર્ઘટના ક્યારેય જોઈ નહોતી. આ દુર્ઘટનાએ કેટલાય પરિવારોના જીવનમાં આફત સર્જી હતી અને તેના પીડાદાયક પરિણામો આજે પણ દેખાઈ રહ્યા છે.
Bhopal Gas Tragedy

Bhopal Gas Tragedy : ભોપાલ ગેસ દુર્ઘટનાને આજે 40 વર્ષ થઈ ગયા, પરંતુ તે કાળી રાતની હકીકત આજે પણ લોકોના મનમાં જીવંત છે. આ દુર્ઘટનાના કારણે કેટલાય પરિવારો આજે પણ પીડા સહન કરી રહ્યા છે. નવી પેઢીના લોકો પણ તે દુર્ઘટનાને યાદ કરતા ડરી જાય છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના યાદ કરતા કહ્યું કે, તે કાળી રાતે તેઓ ભોપાલમાં હાજર હતા. મુખ્યમંત્રીએ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમના માટે દુ:ખ વ્યક્ત કર્યું.

મુખ્યમંત્રી મોહન યાદવે શું જણાવ્યું?

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "ભોપાલ ગેસ દુર્ઘટના (Bhopal Gas Tragedy) ની 40મી વર્ષગાંઠ એક દુઃખદ ક્ષણ છે. હું તે સમયે ભોપાલમાં હાજર હતો અને મારી જીવનમાં આટલી ભયાનક ઘટના મેં ક્યારેય જોઈ નથી. તે સમયે અમે જે દ્રશ્યો જોયા હતા તે ભયાનક હતા અને દુનિયાએ આવા કપરા કાળનો ક્યારેય અનુભવ નથી કર્યો." તેમણે પુણ્યાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, તે ભયાનક રાત્રિએ કેટલાય પરિવારોના જીવનમાં આફત સર્જાઈ હતી. મુખ્યમંત્રીએ યાદ કર્યું કે, તે દિવસોમાં તેઓ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. ગેસ લીક થયેલી રાત્રે તેઓ પરિષદની બેઠક માટે ભોપાલમાં હતા. ઘાતકી ગેસ લીક થવાના સમાચાર મળ્યા બાદ તેઓ બીજા દિવસે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે મૃત્યુનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. કારણ કે આવી દુર્ઘટના દુનિયામાં કોઇએ નહીં જોઇ હોય જેવી ભોપાલ શહેરે જોઇ હતી.

1984ની ભોપાલ ગેસ દુર્ઘટના: કેટલાય જીવલેણ ક્ષણો

1984માં 2-3 ડિસેમ્બરની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ ફેક્ટરી (Union Carbide India Limited Factory) માંથી ઝેરી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ (Methyl Isocyanate Gas) અચાનક લીક થઈ હતી. આ ગેસ લીક થવાથી માત્ર થોડા કલાકોમાં 5400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં 5 લાખથી વધુ લોકોને અસર થઈ હતી, જેમાં અનેક લોકો પોતાના સ્વાસ્થ્ય અને જીવન માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ દુર્ઘટનાએ ભોપાલ અને સમગ્ર દેશના ઈતિહાસમાં કાળમાખું છોડી દીધું છે. ઝેરી ગેસના કારણે અત્યારે પણ લોકો રોગગ્રસ્ત છે અને ભોપાલના પીડિતો માટે આ દુઃખદ ઘટના તેમનાં જીવનની ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદ છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનાએ વિશ્વને ઉદ્યોગોની સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કર્યું છે. તે દિવસ આજે પણ એક જ્ઞાનપ્રદ સંકેત છે કે હળવાશથી લેવાયેલા નિર્ણયો કેવી રીતે માનવજીવનને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો:  સાંસદ Pappu Yadav ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો!

Tags :
40 Years of Bhopal Gas TragedyBhopal Gas Leak AftermathBhopal Gas Leak AnniversaryBhopal Gas TragedyBhopal Gas Tragedy 1984Bhopal Gas VictimsBhopal Tragedy Health IssuesEnvironmental and Human Disaster BhopalGas Tragedy Impact on New GenerationGujarat FirstHardik ShahLegacy of Bhopal Gas LeakMethyl Isocyanate Gas LeakMP CM Mohan Yadav StatementToxic Gas DisasterUnion Carbide Factory IncidentUnion Carbide India LimitedWorld's Deadliest Industrial Disaster
Next Article