ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhajanlal Government: ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો રહેશે બંધ

Bhajanlal government: અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજસ્થાનમાં ભજનલાલ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સમગ્ર...
03:37 PM Jan 14, 2024 IST | VIMAL PRAJAPATI
Bhajanlal government: અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજસ્થાનમાં ભજનલાલ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સમગ્ર...
Bhajanlal government

Bhajanlal government: અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજસ્થાનમાં ભજનલાલ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ સમગ્ર રાજસ્થાનમાં દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે દારૂની દુકાનો સાથે સાથે બાર અને રેસ્ટોરેન્ટમાં પણ 22 જાન્ય  દારૂના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.  રાજ્ય સરકાર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

રાજસ્થાન સરકારનો મહત્વનો નિર્ણય

દેશના કેટલાય રાજ્યોમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી પહેલા શ્રી રામના મોસાળ છત્તીસગઢમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ તો બીજા પણ રાજ્યોમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો હતો. આજે રાજસ્થાનમાં Bhajanlal government દ્વારા પણ રામ મંદિરને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે 22 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ક્યાય પણ દારૂનું વેચાણ કરવામાં નહી આવે.

22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો

આ સિવાય આસામ રાજ્ય સરકાર દ્વારા પણ 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુપી અને છત્તીસગઢને જોતા આસામ સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યના પ્રવાસ મંત્રી જયંત મલ્લ બરૂઆએ જાહેરાત કરતા કહ્યું કે, ‘રામ મંદિરના ઉદ્ઘાટનને ધ્યાને રાખીને આસામ સરકારે 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કર્યો છે.’ આ સાથે સાથે બીજા પણ કેટલાટ રાજ્યો જેવા કે, ઉત્તર પ્રદેશ, આસામ અને છત્તીસગઢમાં પણ 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો અને દારૂના વેચાણ પર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘74% મુસ્લિમો અયોધ્યા રામ મંદિરના નિર્માણથી ખુશ’ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે કહ્યું...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ayodhya ram mandirBhajanlal SharmaCM BHAJANLALCM of RajasthanNationa News
Next Article