Vinay Narwal Wife Himanshi : પહેલગામ હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી વિનય નરવાલની પત્ની હિમાંશીનું મોટું નિવેદન
ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલનો જન્મદિવસ 1 મે ના રોજ હતો. જે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. વિનય નરવાલના જન્મદિવસ નિમિત્તે, હરિયાણાના કરનાલમાં તેમના પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની પત્ની હિમાંશીએ પ્રતિક્રિયા આપી હતી અને એક મોટું નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું, 'હું ઈચ્છું છું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરે કે તેઓ જ્યાં પણ હોય, સ્વસ્થ અને ખુશ રહે.આ હુમલામાં સામેલ લોકોને કડક સજા મળવી જોઈએ, પરંતુ આપણે મુસ્લિમો અને કાશ્મીરીઓને નિશાન બનાવવા જોઈએ નહીં.
લોકો મુસ્લિમો કે કાશ્મીરીઓ વિરુદ્ધ જઈ રહ્યા છે
હિમાંશીએ એમ પણ કહ્યું, "જે થઈ રહ્યું છે તેના માટે હું કોઈના પ્રત્યે કોઈ નફરત ઇચ્છતી નથી." તેમણે કહ્યું, "લોકો મુસ્લિમો કે કાશ્મીરીઓ વિરુદ્ધ જઈ રહ્યા છે, અમને આ નથી જોઈતું. અમને શાંતિ જોઈએ છે. અલબત્ત અમે ન્યાય ઇચ્છીએ છીએ, જેમણે તેની સાથે અન્યાય કર્યો છે તેમને સજા થવી જોઈએ. આજે આપણે બધા વિનયની યાદમાં રક્તદાન કરી રહ્યા છીએ."
હિમાંશીએ હાથ પર પતિ વિનયનું નામ લખીને મહેંદી લગાવી
રક્તદાન શિબિર દરમિયાન, સ્ટેજ પર બેઠેલી હિમાંશી ઘણી વખત ભાવુક થઈ ગઈ હતી અને આ દરમિયાન તેનો પરિવાર પણ ઓમ શાંતિનો જાપ કરતો જોવા મળ્યો હતો. તેમની સાથે મંચ પર ધારાસભ્ય જગમોહન આનંદ અને કરનાલના મેયર રેણુ બાલા ગુપ્તા પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન હિમાંશીએ મેયરને પોતાના હાથ પરની મહેંદી પણ બતાવી, જેમાં વિનયનું નામ લખેલું હતું. કાર્યક્રમ દરમિયાન, એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું, "ભારતના પુત્ર, વિનય નરવાલ."
કાર્યક્રમ દરમિયાન, હિમાંશી અને વિનયની માતા ઘણી વખત ભાવુક થતી જોવા મળી હતી. એક ક્ષણ એવી આવી જ્યારે તેઓ સ્ટેજ પરથી નીચે આવ્યા અને એકબીજાને ગળે લગાવીને રડવા લાગ્યા. ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.
વિનય નરવાલની બહેને શું કહ્યું?
આ પ્રસંગે વિનય નરવાલની બહેન સૃષ્ટિએ કહ્યું, "અમે બધા લોકોને રક્તદાન માટે આવવા અપીલ કરીએ છીએ. હું બધાનો આભાર માનવા માંગુ છું, લોકો દૂર-દૂરથી અહીં આવ્યા છે. હું આ હેતુ માટે દરેકમાં જુસ્સો અને ઉત્સાહ જોઈ શકું છું. સરકાર પણ આ સંદર્ભમાં મહત્વપૂર્ણ પ્રયાસો કરી રહી છે."
વિનય નરવાલને શહીદનો દરજ્જો આપવા અંગે સૃષ્ટિએ કહ્યું, "મારા પિતાએ સરકારને કહ્યું છે અને સરકાર તેના પર કામ કરી રહી છે. લોકોની ભાગીદારી વિનયની વિચારધારાને આગળ વધારવામાં મદદ કરશે."
આ પણ વાંચોઃ Chhattisgarh: ગારિયાબંદમાં નક્સલીઓ અને સૈનિકો વચ્ચે અથડામણ, 1 માઓવાદી ઠાર
વિનય નરવાલ અને હિમાંશીના લગ્ન 16 એપ્રિલે થયા હતા
પહેલગામમાં આતંકવાદીઓએ વિનય નરવાલને તેની પત્ની હિમાંશીની સામે તેનો ધર્મ પૂછ્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. વિનય નરવાલ અને હિમાંશીના લગ્ન 16 એપ્રિલે થયા હતા અને બંને હનીમૂન માટે પહેલગામ ગયા હતા. આ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. હિમાંશીનું મુસ્લિમો પ્રત્યેનું આ વિધાન દેશવાસીઓ માટે આઘાત જનક કજજે.
(અહેવાલ:કનુ જાની)
આ પણ વાંચોઃ સંબિત પાત્રાનો કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર - આ પાર્ટી ‘CWC નહીં, PWC’ છે