હરિયાણાના કરનાલમાં મોટી દુર્ઘટના, રાઇસ મિલની ઇમારત ધરાશાયી થતાં 4 મજૂરોના મોત, 20 ઘાયલ
હરિયાણાના કરનાલના તરવાડીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. શિવ શક્તિ નામની રાઇસ મિલની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા મજૂરો સૂતા હતા, જેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં...
10:55 AM Apr 18, 2023 IST
|
Viral Joshi
હરિયાણાના કરનાલના તરવાડીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. શિવ શક્તિ નામની રાઇસ મિલની ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા મજૂરો સૂતા હતા, જેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 4 મજૂરોના મોત થયા છે, જ્યારે 20 અન્ય ઘાયલ થયા છે.
આ રાઇસ મિલનું નામ શિવ શક્તિ મિલ છે. કહેવામાં આવી રહ્યું છે કે મિલની આ બિલ્ડિંગમાં 150થી વધુ મજૂરો સૂતા હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ અને સામાજિક સંસ્થાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા અને મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
Next Article