Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ, ઉચ્ચ જાતિના વિકાસ માટે આયોગ

ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ સવર્ણ જાતીઓના વિકાસ માટે આયોગની રચના કરી તમામ વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ   Bihar : બિહારમાં ચૂંટણી (Bihar Assembly Elections 2025)પહેલા નીતિશ (NitishKumar)સરકારે મોટો નિર્ણય લીધો છે. CM નીતિશ કુમારે સવર્ણ જાતીઓના વિકાસ...
bihar  ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ  ઉચ્ચ જાતિના વિકાસ માટે આયોગ
Advertisement
  • ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ
  • સવર્ણ જાતીઓના વિકાસ માટે આયોગની રચના કરી
  • તમામ વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ

Bihar : બિહારમાં ચૂંટણી (Bihar Assembly Elections 2025)પહેલા નીતિશ (NitishKumar)સરકારે મોટો નિર્ણય લીધો છે. CM નીતિશ કુમારે સવર્ણ જાતીઓના વિકાસ માટે આયોગની રચના કરી છે. બીજેપી નેતા મહાચંદ્ર સિંહે આયોગના અધ્યક્ષ અને જેડીયૂ નેતા રાજીવ રંજન પ્રસાદને ઉપાધ્યક્ષ બનાવ્યા છે.બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજકીય તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સીએમ નીતિશ કુમાર મોટા મોટા નિર્ણયો લઇ રહ્યા છે. તેઓ તમામ વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો.

Advertisement

ચૂંટણી પહેલા મોટો દાવ

હવે ફરી એકવાર બિહારમાં ચૂંટણી પહેલા, નીતિશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સીએમ નીતિશ કુમારે ઉચ્ચ જાતિના વિકાસ માટે એક આયોગની રચના કરી છે. ભાજપના નેતા મહાચંદ્ર સિંહને આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જેડીયુ નેતા રાજીવ રંજન પ્રસાદને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આના એક દિવસ પહેલા જ જેડીયુ નેતા ગુલામ રસૂલને બિહારના લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -ભારતીય નૌસેનાએ પાકિસ્તાન પર મિસાઇલો અને ટોર્પિડો ફાયર કર્યા, રક્ષામંત્રીનો ખુલાસો

કેમ આયોગની રચના ?

સીએમ નીતિશ કુમારનો આ નિર્ણય ઉચ્ચ જાતિના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને મજબૂત બનાવવા તરફ એક મોટું રાજકીય પગલું માનવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા મહાચંદ્ર સિંહને કમિશનના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જેડીયુના રાજીવ રંજન પ્રસાદ કમિશનના ઉપાધ્યક્ષ બનશે. આ જોડાણ આગામી ચૂંટણીઓમાં બંને પક્ષોની સહયોગી વ્યૂહરચના દર્શાવે છે. સીએમ નીતિશ કુમારે અગાઉ 2011 માં ઉચ્ચ જાતિ આયોગની રચના કરી હતી જોકે પછીથી કેટલાક કારણોસર તેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો -જોધાબાઈ-અકબરના લગ્નની કહાનીઓ પર રાજસ્થાનના રાજ્યપાલે ઉઠાવ્યા સવાલ

હવે ફરી એકવાર બિહારમાં ચૂંટણી પહેલા, નીતિશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉચ્ચ જાતિના વિકાસ માટે એક આયોગની રચના કરી છે. ભાજપના નેતા મહાચંદ્ર સિંહને આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જેડીયુ નેતા રાજીવ રંજન પ્રસાદને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આના એક દિવસ પહેલા જ જેડીયુ નેતા ગુલામ રસૂલને બિહારના લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે મુખ્યમંત્રીનો આ નિર્ણય પીએમ મોદીની મુલાકાત પછી જ આવ્યો છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કરકટમાં જાહેર સભા કરી હતી. આ જાહેર સભા પછી જ આ આયોગ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

CM નીતિશ અગાઉ પણ આવા કમિશનની રચના કરી ચૂક્યા છે.

મુખ્યમંત્રી નીતિશના આ નિર્ણયને ઉચ્ચ જાતિના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને મજબૂત બનાવવા તરફ એક મોટું રાજકીય પગલું માનવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા મહાચંદ્ર સિંહને કમિશનના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જેડીયુના રાજીવ રંજન પ્રસાદ કમિશનના ઉપાધ્યક્ષ બનશે.

Tags :
Advertisement

.

×