Bus Accident: કાશ્મીરના પૂંછમાં પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી, 4 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી બસ અકસ્માતમાં 4 લોકોના મોત, 25 લોકો ઘાયલ Bus Accident: જમ્મુ-કાશ્મીરથી (Jammu & Kashmir)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બસ અકસ્માત(Bus Accident)માં 4 લોકોના મોત થયા...
Advertisement
- જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર
- પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી
- બસ અકસ્માતમાં 4 લોકોના મોત, 25 લોકો ઘાયલ
Bus Accident: જમ્મુ-કાશ્મીરથી (Jammu & Kashmir)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બસ અકસ્માત(Bus Accident)માં 4 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પૂંછ જિલ્લાના ગની મેંધાર વિસ્તારમાં થયો હતો. ઘાયલોને સેનાના જવાનો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા બચાવ્યા હતા અને તેમને સારવાર માટે મેંઢરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી ગઈ. અકસ્માત બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

