CBSE ધોરણ 12 રિ-ઈવેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે અરજી પોર્ટલ
CBSE Re-evaluation : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીના ગુણથી સંતુષ્ટ નથી, તેમના માટે પુનઃમૂલ્યાંકન (Re-evaluation) પ્રક્રિયાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ અરજી પ્રક્રિયા 1 જૂનથી શરૂ કરવામાં આવશે. અગાઉ આ પ્રક્રિયા 29 મે થી શરૂ થવાની હતી, પરંતુ બોર્ડ દ્વારા તેને હવે લંબાવવામાં આવી છે.
CBSE Re-evaluation : પોર્ટર ખુલવા અંગેની મહત્વની વિગતો
CBSE દ્વારા તાજેતરમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને તેમની સ્કેન કરેલી ઉત્તરવહીઓ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 26 મે સુધીના આંકડા મુજબ, બોર્ડને કુલ 4,04,319 અરજીઓ મળી હતી, જેમાં 11 લાખથી વધુ ઉત્તરવહીઓની ફોટોકોપીની માંગ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ પોતાની સ્કેન કરેલી કોપી મેળવી લીધી છે, તેઓ જ હવે આગામી પુનઃમૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
Press Statement
In order to ensure a transparent and glitch-free process for verification and re-evaluation of answer books of students who intend to submit their applications on the Post-Result Activities portal, it has been decided that the designated portal will now be…— CBSE HQ (@cbseindia29) May 29, 2026
પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી?
સત્તાવાર વેબસાઇટ: સૌથી પહેલા CBSE ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
સેવા વિભાગ: હોમપેજ પર 'Post Result Services' અથવા 'Verification and Re-evaluation' વિભાગ પર ક્લિક કરો.
લોગિન: તમારો રોલ નંબર અને એડમિટ કાર્ડ ID નો ઉપયોગ કરીને લોગિન કરો.
પસંદગી: તમને કઈ વિષયમાં અને કયા પ્રશ્નોની ચકાસણી કરાવી છે, તે સ્પષ્ટ રીતે પસંદ કરો.
ફી અને સબમિટ: નિર્ધારિત ઓનલાઈન ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો: અબ્દુલ્લા આઝમને મોટી રાહત,બે પાસપોર્ટ કેસમાં 7 વર્ષની સજા પર કોર્ટની રોક


