Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Census Live-in Couples India : હવે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોની પણ થશે ગણતરી, સરકાર પૂછશે ખાસ પ્રશ્નો

Census Live-in Couples India : ભારતમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરીમાં એક મોટો સામાજિક બદલાવ જોવા મળશે. કેન્દ્ર સરકાર હવે લિવ-ઇન યુગલો પર વિશેષ ધ્યાન આપી રહી છે. નવા નિયમો અનુસાર, વસ્તી ગણતરી દરમિયાન આવા યુગલોને અલગ શ્રેણીમાં ઓળખવામાં આવશે અને તેમને 'પરિણીત' તરીકેનો દરજ્જો આપીને ડેટા એકત્રિત કરવામાં આવશે.
census live in couples india   હવે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોની પણ થશે ગણતરી  સરકાર પૂછશે ખાસ પ્રશ્નો
Advertisement
  • Census Live-in Couples India : આગામી વસ્તી ગણતરીમાં લિવ-ઇન યુગલોની પણ થશે અલગથી ઓળખ અને ગણતરી.
  • સ્થિર સંબંધોમાં રહેતા લિવ-ઇન યુગલોને પરિણીત દરજ્જો આપી ડેટા એકત્ર કરાશે.
  • 1 એપ્રિલ 2026થી શરૂ થનાર વસ્તી ગણતરીમાં લોકોને પૂછવામાં આવશે કુલ 33 પ્રશ્નો.
  • યુગલોના સાથે રહેવાના સમયગાળા અને કૌટુંબિક માળખા અંગે સરકાર લેશે વિગતો.
  • નવો ફેરફાર ફક્ત આંકડાકીય માહિતી માટે, કાયદેસરના લગ્ન જેવા અધિકારો નહીં મળે.

Census Live-in Couples India : ભારતમાં આગામી સમયમાં શરૂ થનારી વસ્તી ગણતરી (Census)માં એક મોટો સામાજિક બદલાવ જોવા મળશે. કેન્દ્ર સરકાર હવે લિવ-ઇન યુગલો (Live-in Couples) પર વિશેષ ધ્યાન આપી રહી છે. નવા નિયમો અનુસાર, વસ્તી ગણતરી દરમિયાન આવા યુગલોને અલગ શ્રેણીમાં ઓળખવામાં આવશે અને તેમને 'પરિણીત' (Married Status) તરીકેનો દરજ્જો આપીને ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બદલાતા સામાજિક માળખા અને આધુનિક કૌટુંબિક પ્રણાલીઓનો સચોટ આંકડો મેળવવાનો છે.

Census Live-in Couples India :  33 પ્રશ્નોની યાદીમાં લિવ-ઇન સંબંધોનો સમાવેશ

1 એપ્રિલ, 2026 થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો (House Listing and Housing Census) શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જે યુગલો લગ્ન કર્યા વગર સાથે રહે છે, તેમને તેમના સંબંધના સમયગાળા, બાળકો અને નાણાકીય સ્થિતિ (Financial Condition) અંગે પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. જો કોઈ યુગલ લાંબા સમયથી સ્થિર સંબંધમાં હોય, તો ગણતરીના હેતુ માટે તેમને વિવાહિત ગણવામાં આવશે.

Advertisement

Advertisement

આંકડાકીય ડેટા માટે મહત્વનો નિર્ણય

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફાર ફક્ત આંકડાકીય હેતુ (Statistical Purpose) માટે જ છે. વસ્તી ગણતરીમાં 'પરિણીત' ગણાવવાનો અર્થ એ નથી કે તે યુગલોને કાયદેસરના લગ્ન જેવા અધિકારો મળશે. મિલકત વારસો (Inheritance) કે જીવનસાથીના લાભો જેવા કાયદાકીય હકો માટે આ ડેટાનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ડેટા દ્વારા સરકાર માત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંબંધોના બદલાતા ટ્રેન્ડને સમજવા માંગે છે.

ઉત્તરાખંડ મોડેલનો અમલ

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ (Uttarakhand) રાજ્યમાં લિવ-ઇન યુગલોની નોંધણી અને ડેટા સંગ્રહની પ્રક્રિયા પહેલેથી જ અમલમાં છે. હવે રાષ્ટ્રીય સ્તરે પણ આ મોડેલ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જે યુગલો ભવિષ્યમાં લગ્ન કરવાની યોજના ધરાવે છે અથવા લાંબા સમયથી સાથે છે, તેઓ સેલ્ફ-એન્યુમરેશન (Self-enumeration) દરમિયાન પોતાની નોંધણી કરાવી શકશે.

આ પણ વાંચો : Middle East Tension : પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ભારત એક્શન મોડમાં, એસ જયશંકરે કર્યો ઇઝરાયલને ફોન

Tags :
Advertisement

.

×