ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

National Census : વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે, કેન્દ્રએ નોટિફિકેશન બહાર પાડ્યું

દેશમાં વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારની જાહેરાત વસ્તી ગણતરી માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું બે તબક્કામાં દેશમાં કરવામાં આવશે વસ્તી ગણતરી જાતિગત જનગણના પણ વસ્તીની સાથે કરવામાં આવશે 1 માર્ચ 2027 સુધીમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થશે National Census:...
04:47 PM Jun 16, 2025 IST | Hiren Dave
દેશમાં વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારની જાહેરાત વસ્તી ગણતરી માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું બે તબક્કામાં દેશમાં કરવામાં આવશે વસ્તી ગણતરી જાતિગત જનગણના પણ વસ્તીની સાથે કરવામાં આવશે 1 માર્ચ 2027 સુધીમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થશે National Census:...
National Census 2027 dates announced

National Census: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે (AMIT SHAH)આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તીગણતરી (National Census)આયુક્ત તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તીગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, વસ્તીગણતરી કરાવવા અંગેનું નોટિફિકેશન 16 જૂન, 2025 ના રોજ સત્તાવાર રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ, સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ વસ્તી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO): આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

આ પણ  વાંચો -ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 24 કલાકમાં 25 લોકોએ જીવ ગુમાવ્યો

વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો 1 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થશે

વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો ફેબ્રુઆરી 2027 થી શરૂ થશે અને 1 માર્ચ 2027 (સંદર્ભ તારીખ) સુધીમાં પૂર્ણ થશે. સત્તાવાર સૂચના જાહેર થતાં, હવે વિવિધ એજન્સીઓ તેમનું કાર્ય શરૂ કરશે. આ પ્રક્રિયામાં સ્ટાફને તાલીમ આપવી, લોકોના ઘરે જઈને ડેટા એકત્રિત કરવો,ફોર્મેટ બનાવવા,સ્ટાફની નિમણૂક કરવી, આ બધું શામેલ છે. વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો ૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. માહિતી અનુસાર, સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવશે.

આ પણ  વાંચો -Israel-Iran War : ભારતીય દૂતાવાસે ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી , હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા

વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે

ભારતમાં દર દસ વર્ષે એકવાર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. તેનો હેતુ વસ્તી ગણતરી, દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો છે, જેથી સરકાર નીતિઓ બનાવવામાં અને યોજનાઓ નક્કી કરવામાં યોગ્ય નિર્ણયો લઈ શકે. વસ્તી ગણતરી કરવાની જવાબદારી ગૃહ મંત્રાલય હેઠળ આવતા રજિસ્ટ્રાર જનરલ ((Office of Registrar General and Census Commissioner) )અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીની છે. આ કાર્યમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તૈનાત છે. તેઓ દરેક ઘરે જાય છે અને લોકો પાસેથી માહિતી એકત્રિત કરે છે.

Tags :
Amit Shahbreaking newsGovernment of IndiaNational CensusNational Census 2027National Census 2027 dates announcedNational Census 2027 full processpopulation census 2027
Next Article