ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chardham yatra : ચારધામમાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ આવ્યો, હવે દરરોજ આટલા શ્રદ્ધાળુઓ કેદારનાથનાં દર્શન કરી શકશે

ગત વખતની સરખામણીએ આ વખતે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, ઓગસ્ટમાં ઘણી જગ્યાએ મુસાફરીના રૂટ બ્લોક થવાને કારણે યાત્રાને ખરાબ અસર થઈ હતી. પરંતુ હવે હવામાન ચોખ્ખું થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની સિઝનમાં મોટી...
07:33 AM Oct 06, 2023 IST | Hiren Dave
ગત વખતની સરખામણીએ આ વખતે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, ઓગસ્ટમાં ઘણી જગ્યાએ મુસાફરીના રૂટ બ્લોક થવાને કારણે યાત્રાને ખરાબ અસર થઈ હતી. પરંતુ હવે હવામાન ચોખ્ખું થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની સિઝનમાં મોટી...

ગત વખતની સરખામણીએ આ વખતે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, ઓગસ્ટમાં ઘણી જગ્યાએ મુસાફરીના રૂટ બ્લોક થવાને કારણે યાત્રાને ખરાબ અસર થઈ હતી. પરંતુ હવે હવામાન ચોખ્ખું થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવી રહ્યા છે. ચારધામ યાત્રા આ વખતે એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે.

આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા 

વર્ષ 2022માં સૌથી વધુ 46 લાખ 27 હજાર 292 શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબ અને ચારધામની મુલાકાત લીધી હતી. જ્યારે, આ વર્ષે આ આંકડો પ્રવાસને લગભગ દોઢ મહિના બાકી રહેતાં વટાવી ગયો હતો. ખાસ વાત એ છે કે, આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચ્યા છે. જ્યારે કેદારનાથમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ગયા વર્ષના આંકડાની નજીક પહોંચી ગઈ છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં અગાઉના આંકડાઓને સ્પર્શવામાં થોડો વધુ સમય લાગી શકે છે. ચારધામ યાત્રા આ વર્ષે 22મી એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. કેદારનાથના દરવાજા 25મી એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27મી એપ્રિલે ખોલવામાં આવ્યા હતા.

મે અને જૂનમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ જુલાઈના મધ્યમાં વરસાદ શરૂ થતાં તેમાં થોડી ઢીલી પડી હતી. ઓગસ્ટમાં ઘણી જગ્યાએ ટ્રાવેલ રૂટ બ્લોક થવાને કારણે મુસાફરી પર ખરાબ અસર પડી હતી. પરંતુ વરસાદી માહોલ બાદ વાતાવરણ સાનુકૂળ બનતા જ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ચારધામ યાત્રા ફરી વેગ પકડવા લાગી હતી. હાલમાં તે ફરી ચરમસીમાએ પહોંચી છે.

 

40 હજારથી વધુ શ્રદ્ધાળુ ચારધામ  છે 

હાલમાં દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ અને ચારધામ પહોંચી રહ્યા છે. મોટાભાગના યાત્રિકો કેદારનાથ પહોંચ્યા અને દર્શન કરીને પરત ફર્યા હતા, આ વર્ષે કેદારનાથ આવેલા ભાવિકોની સંખ્યા 1531946 રહી છે. જ્યારે બદ્રીનાથ આવેલા ભાવિકોની સંખ્યા 1457755, જ્યારે ગંગોત્રી આવેલા ભાવિકોની સંખ્યા 816362 રહી છે. યમુનોત્રી આવેલા ભાવિકોની સંખ્યા 673462 રહી છે. જ્યારે હેમકુંડ આવેલા ભાવિકોની સંખ્યા 168057 રહી છે.

 

આ  પણ  વાંચો -MAHADEV CASE : હુમા કુરેશી, કપિલ શર્મા અને હિના ખાનને પણ ED નું તેડું

 

Tags :
46lakhChardhamYatraIndianewrecordmorenumberpilgrimsUttarakhand
Next Article