ટ્રિબ્યુનલ સુધારા કેસમાં CJI કેન્દ્ર સરકાર પર ભડક્યા: 'શું મારા રિટાયર થવાની રાહ જુઓ છો?'
ટ્રિબ્યુનલ સુધારા એક્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફરી ફટકાર લગાવી છે. સુનાવણી મોકૂફ રાખવાની માંગ પર CJI બી.આર. ગવઈએ નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યું કે, "શું સરકાર મારા નિવૃત્ત થવાની (23 નવેમ્બર) રાહ જુએ છે?" કોર્ટે આ યુક્તિને અન્યાય ગણાવી હતી અને કેસને મોટી બેન્ચ પાસે મોકલવાની કેન્દ્રની માંગણી પણ નકારી દીધી હતી.
Advertisement
- CJI ગવઈ સરકાર પર ભડક્યા: 'રિટાયરમેન્ટની રાહ જુઓ છો?' (CJI Gavai Angry Government)
- ટ્રિબ્યુનલ સુધારા કેસમાં CJI ગવઈનો કેન્દ્ર સરકાર પર આક્રોશ
- સુનાવણી ટાળવાની માંગ પર CJIનો સીધો સવાલ: '23 નવેમ્બરની રાહ જુઓ છો?'
- કોર્ટે કહ્યું, "આ કોર્ટ સાથે અન્યાય છે, આવી યુક્તિઓ ન ચાલે."
- કેસને મોટી બેન્ચમાં મોકલવાની માંગ પણ નકારી.
CJI Gavai Angry Government : ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ (Tribunal Reforms Act) સંબંધિત કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે એકવાર ફરી કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ સુનાવણી મોકૂફ રાખવાની માંગણી પર સખત વાંધો ઉઠાવ્યો હતો. આ પહેલા પણ તેમણે આ કેસને મોટી બેન્ચ પાસે મોકલવાની વિનંતી અંગે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, "એવું લાગે છે કે સરકાર વર્તમાન બેન્ચથી બચવા માગે છે."
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, એટર્ની જનરલ આર. વેંકટરમણીએ આ કેસમાં મુલતવી રાખવાની માંગણી કરી હતી, જે એએસજી ઐશ્વર્યા ભાટી તરફથી રજૂ કરવામાં આવી હતી. આના પર CJI ગવઈએ સીધો સવાલ ઉઠાવ્યો હતો કે "શું સરકાર તેમના નિવૃત્ત થવાની રાહ જોઈ રહી છે?"
'24 નવેમ્બર પછી સુનાવણી જોઈતી હોય તો કહો' –CJI Gavai Tribunal Reforms
CJI ગવઈએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "અમે અગાઉ બે વખત તમારી વાત માની છે. હવે કેટલી વાર? જો તમને આ સુનાવણી 24 નવેમ્બર પછી જોઈતી હોય તો અમને સ્પષ્ટ કહી દો. આ કોર્ટ સાથે બહુ મોટો અન્યાય છે. દર વખતે તમે મધ્યસ્થતા માટે સમય માંગી રહ્યા છો. તમારી પાસે અનેક વકીલો છે અને તમે મોટી બેન્ચની માંગણી માટે અડધી રાત્રે અરજી દાખલ કરો છો."
CJI Gavai Angry Government
તેમણે ઉમેર્યું, "જ્યારે અમે હાઈકોર્ટમાં હતા, ત્યારે જે પણ બ્રીફ છોડવી પડતી, અમે અહીં (સુપ્રીમ કોર્ટ) આવતા. અમે દેશની સર્વોચ્ચ બંધારણીય અદાલતનું ખૂબ સન્માન કરીએ છીએ. અમે ગઈકાલે અન્ય કોઈ કેસ હાથમાં લીધો નહોતો. અમે વિચાર્યું હતું કે અમે કાલે સુનાવણી કરીશું અને વીકએન્ડમાં ચુકાદો લખીશું."
અગાઉ પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી – Supreme Court Slams Centre
સોમવારે પણ સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ (સુવ્યવસ્થા અને સેવા શરતો) અધિનિયમ, 2021ની જોગવાઈઓને પડકારતી અરજીઓને મોટી બેન્ચ પાસે મોકલવાની વિનંતી કરતી અરજી સામે સખત વલણ અપનાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અંતિમ સુનાવણીના છેલ્લા તબક્કામાં સરકાર પાસેથી આવી અપેક્ષા નહોતી.
CJI ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે આ વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી કે હવે કેન્દ્ર આ મામલાને પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ મોકલવા માંગે છે. બેન્ચે આ કેસમાં મુખ્ય અરજદાર મદ્રાસ બાર એસોસિયેશન સહિત વિવિધ અરજદારો તરફથી અંતિમ દલીલો પહેલેથી જ સાંભળી લીધી છે.
ટ્રિબ્યુનલ સુધારા કેસમાં CJI ગવઈનો કેન્દ્ર સરકાર પર આક્રોશ
Advertisement
બેન્ચે સ્પષ્ટતા કરી, "અગાઉની તારીખે (સુનાવણીની), તમે (એટર્ની જનરલે) આ વાંધાઓ ઉઠાવ્યા નહોતા અને તમે અંગત કારણોસર સુનાવણી ટાળવાની વિનંતી કરી હતી. આખી સુનાવણી પૂરી થયા બાદ તમે આવા વાંધા ઉઠાવી શકો નહીં... અમે કેન્દ્ર સરકાર પાસેથી આવી યુક્તિની અપેક્ષા રાખતા નથી."
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર – Supreme Court vs Central Govt
નારાજ દેખાતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "આ તેવા સમયે થયું છે જ્યારે અમે એક પક્ષની સંપૂર્ણ દલીલો સાંભળી લીધી છે અને એટર્ની જનરલને અંગત કારણોસર છૂટ આપી છે." CJI ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, અને કોર્ટની નારાજગી સૂચવે છે કે સરકાર વર્તમાન બેન્ચને ટાળવા માંગે છે.
Advertisement


