ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CONGRESS : લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ચંદીગઢમાં કોંગ્રેસ દ્વારા મોટી કાર્યવાહી

CONGRESS: લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અગાઉ, 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ભાજપની આગેવાની હેઠળની એનડીએ 543 લોકસભા બેઠકોમાંથી 371 થી 401 બેઠકો...
07:21 AM Jun 04, 2024 IST | Hiren Dave
CONGRESS: લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અગાઉ, 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ભાજપની આગેવાની હેઠળની એનડીએ 543 લોકસભા બેઠકોમાંથી 371 થી 401 બેઠકો...

CONGRESS: લોકસભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અગાઉ, 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલના અનુમાન મુજબ, ભાજપની આગેવાની હેઠળની એનડીએ 543 લોકસભા બેઠકોમાંથી 371 થી 401 બેઠકો જીતીને સંસદમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ બહુમતી સુધી પહોંચી શકે છે. જેમાંથી એકલા ભાજપને 319થી 338 બેઠકો મળવાની સંભાવના છે. તે જ સમયે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ભાજપને 109થી 139 બેઠકો મળી શકે છે જેમાં કોંગ્રેસ 52-64 બેઠકો જીતી શકે છે. પરિણામ આવે તે પહેલા જ ચંદીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચંદીગઢ કોંગ્રેસે (CONGRESS)તેના પાંચ બળવાખોર નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે પાંચ અધિકારીઓને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓ ટિકિટ ન મળતા નારાજ હતા. આ તમામ નેતાઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પવન બંસલના નજીકના હોવાનું કહેવાય છે.

 

 

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ

આ તમામ અધિકારીઓ પર પક્ષ વિરોધી ગતિવિધિઓનો આરોપ છે. આમાંના મોટાભાગના સ્થાનિક કોંગ્રેસના (CONGRESS)નેતાઓ છે જેઓ મનીષ તિવારીને ટિકિટ આપવામાં આવી ત્યારથી વિરોધ કરી રહ્યા હતા.

પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા તમામ 6 નેતાઓના નામો

દીપા દુબે (પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ, ચંદીગઢ)
હાફિઝ અનવારુલહક (ઉપપ્રમુખ, સીટીસીસી)
રવિ ઠાકુર (જનરલ સેક્રેટરી, સીટીસીસી)
અભિષેક શર્મા શેંકી
સાહિલ દુબે (જોઈન્ટ સેક્રેટરી, સીટીસીસી)
જે અધિકારીઓને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા
ચંદીગઢ કોંગ્રેસ દ્વારા જે અધિકારીઓને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે તેમના નામ નીચે આપેલી યાદીમાં જોઈ શકાય છે.

 

હરફૂલ કલ્યાણ (ઉપપ્રમુખ, CTCC)
હકમ સરહદી (જનરલ સેક્રેટરી, સીટીસીસી)
વિનોદ શર્મા (જનરલ સેક્રેટરી, સીટીસીસી)
સતીશ કૈંથ (પ્રવક્તા, CTCC)
મનોજ ગર્ગ (સચિવ, સીટીસીસી)

 

આ પણ  વાંચો - Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ  વાંચો - LOK SABHA ELECTION RESULTS : ચૂંટણી પરિણામ પહેલા ફૂલોના વેપારીઓને ચાંદી, માંગ વધતાં ભાવ આસમાને

આ પણ  વાંચો - LOK SABHA ELECTION : શું PM મોદી નેહરુના આ ‘મહાન રેકોર્ડ’ની બરાબરી કરશે?

Tags :
chandigarhCongressLok Sabha Election 2024
Next Article