Corona એ પકડી રફતાર, નોઇડામાં 7થી 9 જૂન સુધી કલમ 163 લાગુ
- દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5 હજારને પાર
- છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોઁધાયા
- નોઇડામાં લાગુ કરાઇ કલમ 163 લાગુ
Corona cases : દેશમાં કોરોનાના (covid 19 noida) એક્ટિવ કેસની સંખ્યા 5 હજારને પાર થઇ ગઇ છે. દિવસ જાય તેમ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વાત કરીએ નોઇડા(covidinnoida)ની તો દિલ્હી નજીક યુપીના નોઇડામાં કોરોના વાયરસે લોકોમાં ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોઁધાયા છે જ્યારે કુલ દર્દીઓ 190 થઇ ગયા છે. જ્યારે એકનું મોત થયુ છે.
નોઇડામાં લાગુ કરાઇ કલમ 163
કોરોનાની ઝડપ જોતા જિલ્લામાં બીએનએસની (section 16)કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે જે 7 જૂનથી 9 જૂન સુધી પ્રભાવી રહેશે. આ દરમિયાન કોઇ પણ પ્રકારના મેળાવડા, ધરણા કે પ્રદર્શન નહી થઇ શકે. કોઇ પ્રકારની રેલી નહી નીકળી શકે. પરમિશન વિના 5 થી વધારે લોકો ભેગા નહી થઇ શકે.
આ પણ વાંચો -Delhiના CM ને મળી જાનથી મારી નાખવાની ધમકી, અહીંથી આવ્યો કોલ
છેલ્લા 24 કલાકમાં 4ના મોત
મહત્વનું છે કે દેશમાં 5 હજાર 364 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. વધારે કેસમાં સંક્રમિતોનો ઘરમાં જ ઇલાજ કરવામાં આવી રહ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં કોરોનાથી 50થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે નોઇડામાં કોરોના વકરતા સ્વાસ્થ્ય વિભાગે સાવધાની વર્તવા અપીલ કરી છે.એસીએમઓ ડોક્ટર ટીકમ સિંહે જણાવ્યું કે જિલ્લામાં 32 લોકો કોરોના પોઝિટીવ થયા છે જેથી કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 190 થઇ છે જેમાં 79 પુરુષ અને 111 મહિલાઓ છે. આ સમયે હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
Noida, Uttar Pradesh: On COVID-19 cases, Deputy CMO Tikam Singh says, "Talking about the Corona update, currently we have a total of 190 cases. In the last 24 hours, 32 new cases have been reported. Out of these, 79 are male patients and 111 are female patients..." pic.twitter.com/ALQA5oqPgG
— IANS (@ians_india) June 6, 2025
આ પણ વાંચો -Waqf UMEED Portal : Waqf સંપત્તિ માટે ઉમ્મીદ પોર્ટલ લૉન્ચ, 6 મહિનામાં કરાવવુ પડશે રજિસ્ટ્રેશન
શું છે કોરોનાના લક્ષણ
કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો અથવા દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો જોવા મળે છે.ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે.આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે.જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સલાહ
- કોવિડ-19 દરમિયાન, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વધુ કાળજી લેવાની જરૂર છે.
- વૃદ્ધ લોકો (60 વર્ષથી વધુ) અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની કડક સલાહ આપવામાં આવે છે.
- નિયમિતપણે હાથ ધોવા, ખાંસી/છીંક ખાતી વખતે તમારા મોંને ઢાંકો અને તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
- જે વિસ્તારોમાં વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે ત્યાં માસ્ક પહેરો.
- જો તમે ભીડવાળી અથવા સારી હવાની અવરજવર ન હોય તેવી જગ્યાએ હોવ, તો માસ્ક પહેરવાથી વાયરસનો ફેલાવો ઓછો થઈ શકે છે.
- જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
- કોવિડ-19 કેસોની પ્રારંભિક ઓળખ અને અલગ કરવા માટે પરીક્ષણ એક મહત્વપૂર્ણ પગલું છે.
- કોવિડ પ્રભાવિત દેશોની મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિએ પરીક્ષણ કરાવવું જોઈએ.