Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી કોર્ટે મંજૂર કરી, ઘણા પાસાઓ પર થશે ખુલાસા

NIA ભારતમાં આતંકવાદી નેટવર્ક અને 26/11ના હુમલાના ષડયંત્ર સાથે સંબંધિત તમામ પાસાઓ પર તહવ્વુર રાણા પાસેથી માહિતી મેળવવા માંગે છે.
તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી કોર્ટે મંજૂર કરી  ઘણા પાસાઓ પર થશે ખુલાસા
Advertisement
  • તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર
  • ષડયંત્ર સાથે સંબંધિત તમામ પાસાઓ પર પુછતાછ
  • આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે

Tahawwur Rana's remand approved: મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ ગુરુવારે (10 એપ્રિલ, 2025) ના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આતંકી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે પૂછપરછ માટે તહવ્વુરના રિમાન્ડ જરૂરી છે.

Advertisement

હુસૈન રાણાની ઔપચારિક ધરપકડ

કોર્ટની બહાર CISF ઉપરાંત, અન્ય અર્ધલશ્કરી દળોના જવાનો પણ તૈનાત હતા. તેને ખાસ સશસ્ત્ર વાહનમાં કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે NIA અને RAW ની સંયુક્ત ટીમ તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી હતી. NIA ટીમે ગુરુવારે તહવ્વુર હુસૈન રાણાની ઔપચારિક ધરપકડ કરી હતી.

Advertisement

આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થશે

NIA ભારતમાં આતંકવાદી નેટવર્ક અને 26/11 હુમલાના કાવતરા સાથે સંબંધિત તમામ પાસાઓ પર તહવ્વુર રાણા પાસેથી માહિતી મેળવવા માંગે છે. NIA એ એક નિવેદન જારી કરીને કહ્યું કે 2008 ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરને ન્યાયિક પ્રક્રિયાના દાયરામાં લાવવાના વર્ષોના પ્રયાસો પછી આ પ્રત્યાર્પણ થયું. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે USDOJ, US સ્કાય માર્શલ્સની સક્રિય સહાયથી, NIA એ સમગ્ર પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન અન્ય ભારતીય ગુપ્તચર એજન્સીઓ, NSG સાથે નજીકથી કામ કર્યું હતું.

આ પણ વાંચો : Tahawwur Rana: ભારત આવ્યા પછી તહવ્વુર રાણાની પહેલી તસવીર, NIA દ્વારા ધરપકડ

ટ્રમ્પે પ્રત્યાર્પણની જાહેરાત કરી હતી

ફેબ્રુઆરીમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાજધાનીની મુલાકાતે ગયા ત્યારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જાહેરાત આખરે કરવામાં આવી. 14 ફેબ્રુઆરી 2025ના રોજ PM મોદી સાથેની સંયુક્ત કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે એક ખૂબ જ હિંસક વ્યક્તિને તાત્કાલિક ભારત પાછા મોકલી રહ્યા છીએ. જેથી તેને ન્યાયિક ભારતમાં પ્રક્રિયાના દાયરામાં લાવી શકાય." રાણાને અમેરિકાના લોસ એન્જલસમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી બાદ તેને યુએસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  DA Hike : સરકારી કર્મચારીઓને મોટી ભેટ, DA માં વધારાની મળી મંજૂરી

તહવ્વુરે પ્રત્યાર્પણ રોકવા કાયદાકીય ઉપાય અજમાવ્યા

તહવ્વુર રાણાએ તેના પ્રત્યાર્પણને રોકવા માટે ઘણા કાયદાકીય માર્ગો અજમાવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 16 મે, 2023ના રોજ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેણે નવમી સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સમાં ઘણા મુકદ્દમા દાખલ કર્યા હતા, જે તમામને ફગાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેણે રિવ્યુની રિટ, બે હેબિયસ કોર્પસ પિટિશન અને યુએસ સુપ્રીમ કોર્ટમાં ઈમરજન્સી પિટિશન દાખલ કરી, પરંતુ તે પણ ફગાવી દેવામાં આવી.

'તહવ્વુર રાણા પર ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૈયબા (LeT), હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી (HUJI) અને અન્ય પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. 26 નવેમ્બર 2008 ના રોજ, દરિયાઈ માર્ગે ભારત આવેલા આતંકવાદીઓના એક જૂથે મુંબઈમાં અનેક સ્થળોએ હુમલો કર્યો, જેમાં 166 લોકો માર્યા ગયા. માર્યા ગયેલા લોકોમાં બ્રિટન, ઇઝરાયલ અને અમેરિકાના લોકો પણ હતા.

આ પણ વાંચો : Tahawwur Rana: 26/11 હુમલાના આતંકી તહવ્વૂરનું ભારત પ્રત્યાર્પણ,એરપોર્ટથી સીધો NIA ઓફિસ લઈ જવાયો

Tags :
Advertisement

.

×