દિલ્હી હાથમાંથી ગયું! હવે પાર્ટીના Councillors પણ AAP ને આપી રહ્યા છે ઝટકો, જાણો વધુ વિગત
- AAP ને મોટો ઝટકો: 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
- દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ AAPના કાઉન્સિલરોનો પક્ષ પલટો
- દિલ્હી મેયર ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધ્યા
Delhi Assembly Elections 2025 માં હાર્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે શનિવારે પાર્ટીના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાઈ ગયા. મળતી માહિતી મુજબ, એન્ડ્રુઝ ગંજના કાઉન્સિલર અનિતા બસોયા, આરકે પુરમના કાઉન્સિલર ધર્મવીર અને હરિનગર વોર્ડના કોર્પોરેશન કાઉન્સિલર નિખિલ ચપરા ભાજપમાં સામેલ થયા છે, જે પાર્ટી માટે એક મોટી રાજકીય ફેરફારની ઘોષણા સમાન છે.
3 AAP કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
મળતી માહિતી મુજબ, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીમાં સામેલ કર્યા છે. નોંધનીય છે કે, રાજધાનીમાં દર વર્ષે એપ્રિલમાં મેયરની ચૂંટણીઓ યોજાય છે, અને આ રાજકીય ફેરફાર ભાજપ માટે મહત્વનો બની શકે છે. હવે, દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ, ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનો મેયર ચૂંટાવવા માટે તમામ પ્રયાસો કરશે, જે રાજકીય સમીકરણોને વધુ રસપ્રદ બનાવી શકે છે.
STORY | 3 AAP councillors join BJP, boost its chances in mayoral poll
READ: https://t.co/8esBdtCRGU pic.twitter.com/Hru3gjQOtF
— Press Trust of India (@PTI_News) February 15, 2025
મહાનગરપાલિકાની મેયર પસંદગીની પ્રક્રિયા અને અનામત માળખું
મહાનગરપાલિકાનો કાર્યકાળ કુલ 5 વર્ષનો હોય છે, જેમાં વિવિધ વિભાગોના 5 પ્રતિનિધિઓને 1-1 વર્ષ માટે મેયર તરીકે સેવા આપવા તક આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર, પ્રથમ વર્ષમાં મેયરનું પદ મહિલા કાઉન્સિલર માટે અનામત રાખવામાં આવે છે, જ્યારે બીજા વર્ષમાં તે સામાન્ય શ્રેણી માટે હોય છે. ત્રીજા વર્ષે, આ પદ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત હોય છે, જ્યારે ચોથા અને પાંચમા વર્ષમાં ફરી સામાન્ય શ્રેણી માટે આ પદ રાખવામાં આવે છે. આ માળખું વિવિધ સમુદાયોના પ્રતિનિધિત્વ અને સમતુલ્યતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
કોંગ્રેસે છેલ્લી મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
અગાઉ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવેમ્બર 2024 માં મેયરની ચૂંટણીઓ યોજાઈ હતી. તે સમયે ચૂંટણીમાં કુલ 263 મત પડ્યા હતા. માહિતી અનુસાર, ભાજપને ગૃહમાં 113 કાઉન્સિલરો, 1 ધારાસભ્ય અને 7 સાંસદોનું સમર્થન હતું, જેનાથી તેની કુલ સંખ્યા 121 થઈ ગઈ. જ્યારે AAP પાસે કુલ 141 મતદારો હતા, જેમાં 125 કાઉન્સિલર, 13 ધારાસભ્યો અને 3 રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે. અહીં જણાવી દઈએ કે કોંગ્રેસના 8 કાઉન્સિલરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
આ પણ વાંચો : દિલ્હીમાં નવી ભાજપ સરકાર ક્યારે શપથ લેશે? જાણો તારીખ


