Delhi Blast Case: 4 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, થઈ શકે છે મોટા ખુલાસા!
- દિલ્હી વિસ્ફોટ કેસના વધુ 4 આરોપી સામે ગાળિયો કસાયો
- ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન, મૌલવી ઇરફાનના 10 દિવસના રિમાન્ડ
- NIA કરશે પૂછપરછ, થઈ શકે છે મોટા ખુલાસા
Delhi Blast Case:દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા વિસ્ફોટ(Delhi Blast)ની તપાસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. NIA એ શ્રીનગરમાંથી આ ચારેયની ધરપકડ કરી હતી, જ્યાં તેમને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ(Patiala House Court)માંથી પ્રોડક્શન વોરંટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનનના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.
વિસ્ફોટમાં નિર્દોષ લોકોના જીવ ગયા
NIA તપાસ બહાર આવ્યું છે કે આ બધા આરોપીઓએ હુમલાનું આયોજન અને અમલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિસ્ફોટમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. રાશિદ અલી વિસ્ફોટમાં વપરાયેલી કારનો માલિક હતો.
#WATCH | Delhi blast case | Dr Muzammil Shakeel Ganai of Pulwama (J&K), Dr Adeel Ahmed Rather of Anantnag (J&K), Dr Shaheen Saeed of Lucknow (U.P), and Mufti Irfan Ahmad Wagay of Shopian (J&K), arrested by NIA, brought before a special NIA court at Patiala House Court. pic.twitter.com/PXZgKIjwDc
— ANI (@ANI) November 20, 2025
ટેકનિકલ સપોર્ટ આપનાર દાનિશની પૂછપરછ
હુમલાખોરને ટેકનિકલ સપોર્ટ આપનાર દાનિશની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી સમગ્ર કાવતરું અને મોડ્યુલના નેટવર્કનો પર્દાફાશ થાય. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા NIAને આ તપાસ સોંપવામાં આવી છે. એજન્સી દેશભરના વિવિધ રાજ્યોમાં પોલીસ સાથે મળીને આ આતંકવાદી મોડ્યુલના દરેક સભ્ય સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.
દિલ્હીના રેડ ફોર્ટ (લાલ કિલ્લા) પાસે 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની સઘન તપાસ ચાલી રહી છે અને તેને આતંકવાદી હુમલા તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ‘Kashmir Times’ Office SIA Raid: કાશ્મીર ટાઈમ્સ’ની ઓફિસમાં દરોડો, AK-47 કારતૂસ મળ્યા


