ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi blast case: બ્લાસ્ટ કરનાર આતંકી ઉમરનું પુલવામામાં સુરક્ષા દળોએ ઘર તોડી પાડ્યું

Delhi blast case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુલવામામાં આતંકવાદી ઉમર મોહમ્મદનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીના ઘરને તોડી પાડ્યું હતું.
11:49 AM Nov 14, 2025 IST | Hardik Shah
Delhi blast case: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુલવામામાં આતંકવાદી ઉમર મોહમ્મદનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીના ઘરને તોડી પાડ્યું હતું.
delhi blast_gujarat_first 22

Delhi blast case: દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર આતંકવાદી ઉમર નબી (Umar Nabi)નું ઘર તોડી પાડવામાં આવ્યું છે. પુલવામામાં સુરક્ષા દળોએ આ મોટી કાર્યવાહી કરી છે. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર ઉલ નબી એ જ આતંકવાદી છે જેણે ફરીદાબાદ (Faridabad)થી મુસાફરી કરીને દિલ્હીના લાલ કિલ્લાની બહાર કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ આતંકવાદીનું ઘર પુલવામામાં હતું અને પોલીસ તેના પરિવારની સતત પૂછપરછ કરી રહી હતી.

આતંકીની DNA દ્વારા ઓળખ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં કાર ચલાવનાર આતંકવાદીની ઓળખ તેના DNA દ્વારા કરવામાં આવી હતી. તેનો DNA તેની માતાના DNA સાથે મેચ થયો હતો. જેનાથી સ્પષ્ટ થયું કે ઉમર જ આતંકવાદી હુમલો કરનાર હતો. વિસ્ફોટ પછી i20 કારના સ્ટીયરિંગ વ્હીલ પાસે તેના પગનો ટુકડો મળી આવ્યો હતો. ત્યારબાદ તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આતંકવાદી ઉમરના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

ફરીદાબાદથી આતંકવાદીઓ પકડાયા

દિલ્હી બોમ્બ વિસ્ફોટ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીનની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘણા ઠેકાણાઓમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.ત્યારબાદ પોલીસે ત્રીજા ડૉ. ઉમરની શોધખોળ કરી, પરંતુ પોલીસે તેને પકડે તે પહેલા તે દિલ્હી પહોંચ્યો અને બોમ્બ વિસ્ફોટોને અંજામ આપ્યો.આ કેસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લાખો રૂપિયામાં વિસ્ફોટકો ખરીદવામાં આવ્યા હતા

એવું કહેવાય છે કે આરોપી ડૉ. મુઝમ્મિલ, ડૉ. અદીલ અને શાહીનએ મળીને આશરે 20 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. જે ઉમરને સોંપવામાં આવ્યા હતા. ઉમર અને મુઝમ્મિલ વચ્ચે પૈસાને લઈને પણ થોડો વિવાદ થયો હતો. બાદમાં તેમણે હરિયાણાના ગુરુગ્રામ, નૂહ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 3 લાખ રૂપિયાના NPK ખાતરના ઘણા ક્વિન્ટલ ખરીદ્યા હતા. જેનો ઉપયોગ IED બનાવવા માટે થતો હતો. સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે ઉમરે આ જૂથના બે થી ચાર સભ્યો માટે સિગ્નલ એપ બનાવી હતી.

આ પણ વાંચોઃ Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, કારમાં મોતને ભેટેલો શખ્સ ડૉ.ઉમર હોવાનો DNA મેચ

Tags :
Delhi blast casedemolishedGujaratFirsthousePulwamasecurity forcesterroristUmar Nabi
Next Article