Delhi Court: WFI ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને મોટી રાહત, કોર્ટે POCSO કેસ કર્યો બંધ
- પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણને મોટી રાહત
- કોર્ટે POCSO કેસ કર્યો બંધ
- દિલ્હી પોલીસના ક્લોઝર રિપોર્ટનો કર્યો સ્વીકાર
Brij Bhushan Sharan Singh: ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને (Brij Bhushan Sharan Singh)મોટી રાહત મળી છે. તેમની વિરૂદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહેલા જાતીય સતામણીના કેસમાં મોટી રાહત મળી છે. કોર્ટે સગીર મહિલા પહેલવાન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર દિલ્હી પોલીસના ક્લોઝર રિપોર્ટનો સ્વીકાર કરી લીધો છે, ત્યારબાદ POCSO એક્ટ હેઠળ નોંધાયેલો કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.
'આ સત્યનો વિજય છે અને ભવિષ્યમાં પણ આ વિજય ચાલુ રહેશે'
આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા બ્રિજભૂષણના પુત્ર અને ધારાસભ્ય પ્રતીક ભૂષણ સિંહે X (ભૂતપૂર્વ ટ્વિટર) પર લખ્યું - 'અમે ખોટા અને બનાવટી કેસમાં ન્યાયિક વિજય મેળવ્યો છે. દરેક પાયાવિહોણા આરોપ હવે ન્યાયના કઠેડામાં ખુલ્લા પડી રહ્યા છે. આ સત્યનો વિજય છે અને ભવિષ્યમાં પણ આ વિજય ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ફરિયાદ કરનારાઓમાં એક સગીર હતી. હવે કોર્ટ દ્વારા પોક્સો એક્ટ સંબંધિત કેસ બંધ કરવાથી તેમના માટે કાયદાકીય અને રાજકીય રીતે મોટી રાહત માનવામાં આવી રહી છે.
Delhi Court accepts closure report filed by Police in the POCSO case filed against former Wrestling Federation of India (WFI) chief Brij Bhushan Sharan Singh.
— ANI (@ANI) May 26, 2025
આ પણ વાંચો -Tej pratap yadav : ચૂંટણીને લઇને નાટકો છે, યાદવ પરિવાર અંગે ઐશ્વર્યાનો આરોપ
બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવામાં આવ્યા
દિલ્હી પોલીસે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ વિરુદ્ધ 2 એફઆઈઆર નોંધી હતી. એક એફઆઈઆર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી હતી અને બીજી POCSO એક્ટ હેઠળ. POCSO કેસમાં સગીર ફરિયાદીએ તેના આરોપો પરત ખેંચી લીધા હતા, ત્યારબાદ દિલ્હી પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જોકે, મહિલા કુસ્તીબાજો દ્વારા નોંધાયેલા જાતીય સતામણીના બીજા કેસમાં, 5 મહિલા કુસ્તીબાજોની ફરિયાદોના આધારે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આ કેસ અંગે સિંહે દિલ્હી હાઈકોર્ટમાં FIR, ચાર્જશીટ અને ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને પડકારી છે, જેની સુનાવણી હાલમાં પેન્ડિંગ છે. અગાઉ, 17 મેના રોજ, કોર્ટે ફરિયાદી, એક સગીર કુસ્તીબાજને સમન્સ પાઠવ્યું હતું અને પોલીસના કેસ રદ કરવાના અહેવાલને સ્વીકારવો કે નહીં તે નક્કી કરવા માટે 26 મેના રોજ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.