Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi Hotel Fire Tragedy : પિતાની સારવાર માટે આવેલા અગ્રવાલ પરિવારના 8 સભ્યો આગમાં જીવતા ભૂંજાયા

એક પરિવાર પિતાની સારવારની આશા સાથે દિલ્હી આવ્યો હતો, પરંતુ તેમને શું ખબર હતી કે આ મુસાફરી તેમની આખરી સફર બની જશે. માલવિયા નગરના હોટલ અગ્નિકાંડમાં અગ્રવાલ પરિવારના આઠ સભ્યોના કરુણ મોતની આ ઘટનાએ દરેકના હૃદયને હચમચાવી દીધા છે. હોસ્પિટલના બિછાને પડેલા વૃદ્ધ પિતા હજુ પણ પોતાના પરિવારની રાહ જોઈ રહ્યા છે. આ ઘટના પાછળના કરુણ સત્યો જાણીને તમે પણ ભાવુક થઈ જશો.
delhi hotel fire tragedy   પિતાની સારવાર માટે આવેલા અગ્રવાલ પરિવારના 8 સભ્યો આગમાં જીવતા ભૂંજાયા
Advertisement

Delhi Hotel Fire Tragedy : દક્ષિણ દિલ્હીના માલવિયા નગર [Malviya Nagar] વિસ્તારમાં આવેલા હૌજ રાનીમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડમાં એક આખો પરિવાર હોમાઈ ગયો છે. ગુરુગ્રામ [Gurugram] ના સેક્ટર-46 માં રહેતા અગ્રવાલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારના મોભી, 80 વર્ષીય રાધેશ્યામ અગ્રવાલ [Radheshyam Agrawal] ફેફસાની બીમારીની સારવાર માટે મેક્સ હોસ્પિટલ [Max Hospital] માં દાખલ હતા. તેમની સેવા-ચાકરી કરવા માટે પરિવારના સભ્યો હોસ્પિટલ નજીકની હોટલમાં રોકાયા હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. આ અગ્નિકાંડમાં પરિવારના આઠ સભ્યોના મોત નિપજ્યા છે

Delhi Hotel Fire Tragedy  : એક જ રાતમાં પરિવાર સભ્યોની થઇ મોત

આ અકસ્માતમાં રાધેશ્યામ અગ્રવાલના 48 વર્ષીય પુત્ર વિવેક અગ્રવાલ [Vivek Agrawal], પુત્રવધૂ તરજાની અગ્રવાલ, પત્ની અને બે વહાલી પૌત્રીઓ જીવીશા [Jivisha] અને વર્યા [Varya] એ જીવ ગુમાવ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝૂલી રહેલા રાધેશ્યામ અગ્રવાલ હજુ પણ આ ભયાનક સત્યથી અજાણ છે કે તેમનો આખો પરિવાર તેમને છોડીને ચાલ્યો ગયો છે. વિવેક અગ્રવાલના પડોશીઓ તેમના નમ્ર સ્વભાવને યાદ કરીને શોકમાં ડૂબી ગયા છે, જેઓ પોતાના પિતાની કાળજી રાખવા માટે દિલ્હી આવ્યા હતા.

Advertisement

સંબંધીઓ પણ અગ્નિમાં હોમાયા

આ હોનારતની પીડા ત્યાં અટકી નથી. તરજાની અગ્રવાલના મામા પક્ષના ત્રણ સભ્યો પણ તેમને મળવા માટે રાજસ્થાન [Rajasthan] થી આવ્યા હતા અને દુર્ભાગ્યવશ તેઓ પણ તે જ હોટલમાં રોકાયા હતા. આગ અને સિલિન્ડર વિસ્ફોટમાં તેમનું પણ મોત નીપજ્યું હતું. અગ્રવાલ પરિવારના આઠ સભ્યોને એકસાથે ગુમાવ્યાનો આઘાત તેમના સંબંધીઓ માટે સહન કરવો અશક્ય છે. બાળકો વેકેશન ગાળવા ઉત્સાહ સાથે આવ્યા હતા, પરંતુ આ સફર પરિવાર માટે કાયમી અંધકાર લઈને આવી.

Advertisement

આ પણ વાંચો:  દિલ્હી હોટલ અગ્નિકાંડ મામલે લેફ્ટનન્ટ ગવર્નરે મેજિસ્ટ્રેટ તપાસના આપ્યા આદેશ,દોષિતો સામે થશે કડક કાર્યવાહી

Tags :
Advertisement

.

×