DGMO Rajiv Ghai : લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને મળ્યું પ્રમોશન,મળી આ મોટી જવાબદારી
- DGMO Rajiv Ghaiને હવે બઢતી આપવામાં આવી
- લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી આપવામાં આવી
- ડીજીએમઓની જવાબદારી પણ રહેશે
DGMO Rajiv Ghai : ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી બ્રીફિંગને કારણે ચર્ચામાં આવેલા લેફ્ટનન્ટ જનરલ અને DGMO Rajiv Ghaiને હવે બઢતી આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી)ના પદ પર બઢતી આપવામાં આવી છે. ભારતીય સેનાના તમામ ઓપરેશનલ વર્ટિકલ્સ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સુરક્ષા) ને રિપોર્ટ કરશે.
યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો
આ પહેલા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને ગયા અઠવાડિયે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) એનાયત કરવામાં આવ્યો હતો. ગયા મહિને ઓપરેશન સિંદૂર સંબંધિત લશ્કરી બ્રીફિંગમાં તેઓ સેનાનો એક મહત્વપૂર્ણ ચહેરો હતા.
ડીજીએમઓની જવાબદારી પણ રહેશે
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) નો હવાલો પણ સંભાળશે.ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અગાઉ આધુનિક યુદ્ધમાં ટેકનોલોજીના વધતા મહત્વ પર ભાર મૂક્યો છે.
COAS જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે,ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી પ્રતિક્રિયા નહોતી તે ભારતની એકતા,સંકલ્પ અને આત્મવિશ્વાસની અભિવ્યક્તિ પણ હતી.સરકારે અમને સંપૂર્ણ વ્યૂહાત્મક સ્વતંત્રતા આપી અને દેશવાસીઓ દ્વારા દર્શાવેલ વિશ્વાસ અમારા પ્રેરણા સ્ત્રોત બન્યો.આ બધાની મદદથી,અમે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.
આ પણ વાંચો -kerala થી મુંબઇ જઇ રહેલી કાર્ગો શિપમાં થયો વિસ્ફોટ, 50 કન્ટેનર સમુદ્રમાં પડ્યા, 4 ક્રૂ સભ્યો લાપતા
ઓપરેશન સિંદૂર દરમિયાન PC કરવામાં આવ્યું હતું
ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ બાદ 10 મેના રોજ યુદ્ધવિરામ પછી,લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ 11 મેના રોજ તેમના PC માં કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા ચોક્કસ હુમલા કરતા પહેલા સરહદ પાર 9 આતંકવાદી છાવણીઓ,તેમના માળખાં અને આસપાસના વિસ્તારોને ખૂબ જ કાળજીપૂર્વક ઓળખી કાઢ્યા હતા.
આ પણ વાંચો -UttarPradesh : BJP ધારાસભ્યની પુત્રીની ગુંડાગીરી! ફ્લેટમાં ઘુસીની માં-દીકરી પર કર્યો હુમલો, જુઓ વીડિયો
પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા
DGMO ઘાઈએ કહ્યું,મને કોઈ શંકા નથી કે અમે અમારા હુમલાથી તેમને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધા હતા અને તે 9 આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા." તેમણે કહ્યું કે 9 આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં અબ્દુલ મલિક રૌફ, યુસુફ અઝહર અને મુદાસિર અહેમદ જેવા ખૂંખાર આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ IC 814 વિમાનના હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા.