ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ED Attacked: ED પર દેશમાં રાજકારણ ગરમાયું, કોંગ્રસનું ED ને સમર્થન

ED Attacked: બંગાળમાં ED  ની ટીમ પર હુમલો (ED Attacked) કરવામાં આવ્યો હતો. આ ધટના ત્યારે બની હતી, જ્યારે ED  ની ટીમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે અમુક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ધણા ખરા અધિકારીઓ પણ ઘાયલ...
04:07 PM Jan 05, 2024 IST | Aviraj Bagda
ED Attacked: બંગાળમાં ED  ની ટીમ પર હુમલો (ED Attacked) કરવામાં આવ્યો હતો. આ ધટના ત્યારે બની હતી, જ્યારે ED  ની ટીમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે અમુક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ધણા ખરા અધિકારીઓ પણ ઘાયલ...
Politics heats up in country over ED, Congress supports ED

ED Attacked: બંગાળમાં ED  ની ટીમ પર હુમલો (ED Attacked) કરવામાં આવ્યો હતો. આ ધટના ત્યારે બની હતી, જ્યારે ED  ની ટીમ બંગાળમાં રાશન કૌભાંડ મામલે અમુક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં ધણા ખરા અધિકારીઓ પણ ઘાયલ થયાં હતા.

ત્યારે BJP ED ટીમ પર હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. બંગાળ BJP ના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આ ઘટનાની તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત BJP અધ્યક્ષ સુકાંતે હુમલાની એનઆઈ તપાસની માંગ કરી છે.

ED Attacked

Congress દ્વારા પણ કટાક્ષ કરવામાં આવ્યા

બીજી તરફ આ હુમલા બાદ Congress એ પણ મમતા સરકાર પર ધારદાર પ્રહારો કર્યા છે. Congress ના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે જે રીતે સત્તાધારી પક્ષના ગુંડાઓએ ED અધિકારીઓ પર હુમલો કર્યો તે સ્પષ્ટ છે કે કોઈ દિવસ ED અધિકારીઓની પણ હત્યા થઈ શકે છે.

NIA તપાસની માંગ

બીજેપી નેતા સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું કે Bengal માં કાયદો અને વ્યવસ્થાનું કડકપણે પાલન થઈ રહ્યું નથી. આ બાબત ત્યારે સામે આવી છે, જ્યારે ED અધિકારીઓની તપાસમાં અડચણરૂપ બનીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે એ સાબિત થાય છે કે Bengal માં સરકારી અધિકારીઓને નિશાને બનાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આ ઘટનાની તપાસ NIA દ્વારા તપાસ થવી જોઈએ.

રાજ્યપાલે મમતા સરકારને ચેતવણી આપી

પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે. તેને એક નિંદનીય ઘટના ગણાવતા તેમણે કહ્યું કે આ બાબત ચિંતાજનક અને નિંદનીય છે. રાજ્યપાલે કહ્યું કે લોકશાહીમાં સરકારની ફરજ છે કે તે બર્બરતાને અટકાવે અને જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ દ્વારા નિરાકરણનો માર્ગ શોધવામાં આવશે.

આ પણ વાંચો:

 

Tags :
attackedBegalBJPCMMamataBenerjeeCongressedEDattackedGujaratFirstProtestRevolt
Next Article