ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનમાં ED ના દરોડા, IAS અધિકારીના ઠેકાણા સહિત 25 સ્થળો પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના સ્થાનો સહિત કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની આ કાર્યવાહી જલ જીવન...
10:06 AM Nov 03, 2023 IST | Hiren Dave
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના સ્થાનો સહિત કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની આ કાર્યવાહી જલ જીવન...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના સ્થાનો સહિત કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDની આ કાર્યવાહી જલ જીવન મિશન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં રાજસ્થાનમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજધાની જયપુરથી લઈને ઘણા મોટા શહેરોમાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

મહત્વની વાત એ  છે કે  રાજસ્થાનના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ પદ્મચંદ જૈન અને અન્ય સહિત ખાનગી કોન્ટ્રાક્ટરો સામે ગેરકાયદેસર રક્ષણ મેળવવા, ટેન્ડર મેળવવા, બિલ મંજૂર કરવા અને કોન્ટ્રાક્ટ સંબંધિત ગેરરીતિઓને છુપાવવા અધિકારીઓને લાંચ આપવાના આરોપો દાખલ કર્યા છે. FIR નોંધવામાં આવી હતી. આ તમામે જાહેર આરોગ્ય અને એન્જિનિયરિંગ વિભાગ (PHED)ના અધિકારીઓને લાંચ આપી હતી. આ પછી EDએ જલ જીવન મિશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ શરૂ કરી.

 

ભાજપે 20 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે

તે જ સમયે, બીજેપીના રાજ્યસભા સાંસદ કિરોરી લાલ મીણાએ જૂનમાં આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં જલ જીવન મિશન લાગુ કરવાના નામે 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે આરોપ લગાવ્યો કે મિશનના 48 પ્રોજેક્ટ્સમાં નકલી અનુભવ પ્રમાણપત્રોના આધારે બે કંપનીઓને 900 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

 

કિરોની લાલ મીણાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના જલ જીવન મિશન હેઠળ 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ બધું PHED મંત્રી અને વિભાગના સચિવ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના જલ જીવન મિશનનો ઉદ્દેશ્ય ઘરેલું નળ કનેક્શન દ્વારા સુરક્ષિત અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. રાજસ્થાનમાં તેને લાગુ કરવા માટે PHED જવાબદાર છે.

 

 

છેલ્લા દરોડામાં સોનું અને ચાંદી મળી આવ્યા હતા

અગાઉ, સપ્ટેમ્બર મહિનામાં, EDએ જયપુરમાં જલ જીવન મિશન સાથે સંકળાયેલા શંકાસ્પદોના ઘણા બેંક લોકરની તપાસ કરી હતી. આ દરમિયાન 5.86 કરોડની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવી હતી. કુલ મળીને EDએ 9.6 કિલો સોનું અને 6.3 કિલો ચાંદી જપ્ત કરી હતી.

 

આ  પણ  વાંચો -પ્રયાગરાજની ઝૂંપડપટ્ટીના બાળકો રાજ્યપાલ આનંદીબેન પટેલના બનશે મહેમાન, રાજભવનમાં લેશે ભોજન

 

Tags :
breaking newsedED raidGujarat FirstRajasthan
Next Article